________________
શ્રાવકની માનનીય
મનોરથો,
પુત્રરાજા સિહરથ પર વિજય મેળવીને પ્રવ્રજ્યાના માર્ગે પ્રયાણ કરનારા શ્રીસોદાસરાજાના વિવેચનમાં પ્રવચનકાર પરમગુરુદેવશ્રી કલિકાલ સર્વજ્ઞા શ્રી-પ્રણિત શ્રી યોગશાસ્ત્રમાં વર્ણવાયેલી શ્રાવકની મનોરથમાળા અહીં પ્રસ્તુત કરે છે.
- જિન જેવા દેવ, કૃપા રુપ ધર્મ અને સાધુપુરુષો જ્યાં ગુરુ તરીકે મળતાં હોય તેવા શ્રાવકપણાની સ્લાધા કોણ ન કરે? અર્થાત્ એવા સુંદર શ્રાવકપણાની પણ પ્રશંસા કરતાં જેને શરમ આવે તેની બુદ્ધિમાં સુંદરતા છે એમ માને પણ કોણ? આમ કહીને સુશ્રાવકોના મનોરથોનું વર્ણન કરાયું છે અને પછી શ્રી રઘુરાજા સુધીની શ્રેષ્ઠ પરંપરા વર્ણવાઈ છે, જેમાં કેટલાક મોક્ષમાં ને કેટલાક રાજાઓ
સ્વર્ગગતિ પામ્યા છે તે બતાવી અનરણ્ય રાજાની પુત્ર સાથે દીક્ષા, બાળવયસ્ક દશરથનું રાજ્યારોહણ યુવાવયલગ્ન અને મર્યાદાશીલ જીવનનું વર્ણન આ પ્રકરણમાં પ્રસ્તુત છે.
-શ્રી
૧૨૭.