________________
૬. સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યફચારિત્ર-રૂપ છે રત્નત્રયીના ભાજલરૂપ મનુષ્યપણામાં પાપકર્મની આચરણા (R કરનારાઓ સોનાના ભાવમાં મદિરા ભરવા જેવી ભયંકર મૂર્ખતાનું શું સેવન કરનારા હોઈ મૂર્ખ નહિ પણ મૂર્ખાના એ શિરોમણી છે.
૭. સ્વર્ગ અને મોક્ષની પ્રાપ્તિમાં કારણભૂત એવા ઉં મનુષ્યપણાને પામીને જે આત્માઓ બહુ આરંભ કરે છે, બહુ આ પરિગ્રહમાં રાચે છે. માંસનું ભક્ષણ કરે છે અને પંચેન્દ્રિય જીવોનો ઘાત કરે છે, તે આત્માઓ ખરે જ નરકગામી આત્માઓ છે.
૮. પરલોકને ભૂલાવનારું અને આ લોકને જ ઉપયોગી એવું સઘળુંય જ્ઞાન મિથ્યાજ્ઞાન છે. માટે આ જ્ઞાનનો પ્રચાર કરનારા સમ્યજ્ઞાનના પ્રચારક નથી પણ મિથ્યાજ્ઞાનના જ પ્રચારકો છે.
૯. જેઓ પ્રભુશાસનને પામવાનો દાવો કરનારા હોવા છતાં પણ સંસારની સાધનામાં જ આનંદ માનતા હોય તેઓ સમ્યગ્દષ્ટિ નથી પણ મિથ્યાદૃષ્ટિ છે.
૧૦. અહિંસા આદિ મોક્ષસાધક સાધનોનો કેવળ સંસારની સાધનામાં જ ઉપયોગ કરનારા અને એમ કરવું એ વ્યાજબી છે, એમ ઉપદેશસારા મિથ્યામાર્ગના પ્રચારક હોઈ ઘોર મિથ્યાદૃષ્ટિ છે.
૧૧. કેવળ આ લોકની સાધનામાં જ સ્વશ્રેય સમજનારાઓ આસ્તિક હોવાનો દાવો કરવા છતાં પણ આસ્તિક નથી કિંતુ નાસ્તિક
રે ! રસના
કેવળ હદયના કરુણાભાવથીને કલ્યાણની કામનાથી ૨૩ કહેવાતી આવી આવી વાતો સાંભળીને આજના કેટલાક આત્માઓ અકળાઈ જાય છે. અને અકળામણમાં ને અકળામણમાં જ બોલી ઊઠે છે કે “સાધુઓથી આવું આવું બોલી જ કેમ શકાય?' આ શું તે આત્માઓની અયોગ્યતાનો જેવો-તેવો નાનો સૂનો પૂરાવો છે?
તમે સમજી શકશો કે અધર્મ માર્ગે ચઢી ગયેલા એવા પણ યોગ્ય આત્માઓની આ વિશ્વમાં જેમ બલિહારી છે. તેમ ઉત્તમ માર્ગે ચાલવાનો ઘવો કરનારા એવા પણ અયોગ્ય આત્માઓથી જગતને ત્રાસ છે, કારણકે એવા આત્માઓ કોઈને કોઈ દુન્યવી સ્વાર્થના
૧pp eP