________________
હૈ, રસવા ! તારા પાપે
પાંચ ઇન્દ્રિયોની દુર્જયતા અને પરિણામ દારુણતા શાસ્ત્રોએ ડંકાની ટોચે વર્ણવી છે. તેમાં રસના સૌથી વધુ ખતરનાક ગણાવી છે. રસનાના પાપે કાળો ઇતિહાસ લખાયો છે.
સ્વનામધન્ય પરમગુરુદેવશ્રીએ સોદાસરાજાની માંસ લોલુપતાના પ્રસંગનું વર્ણન કરતાં પુંડરિક-કંડરિકના પ્રસંગને વિસ્તારપૂર્વક વર્ણવીને રસનાની પાપલીલાને એકદમ સ્પષ્ટપણે આ પ્રકરણમાં વર્ણવી છે, જે અત્યંત મનનીય છે.
સોદાસરાજાએ જે અનર્થ મચાવ્યો, તેથી તે રાજ્યભ્રષ્ટ થયાં, જંગલમાં મુનિયોગ, ધર્મશ્રવણ, માંસભક્ષણની અનર્થની જાણ, પુનઃ રાજ્યપ્રાપ્તિ, દીક્ષા સ્વીકાર આદિ વાતથી સમૃદ્ધ બનેલા આ પ્રકરણમાં ‘રવાદુઃ રવાડું: પુર: પુર:' નો અનુભવ કરવા જેવો છે.
૯૫