________________
ભાગ-૨
સતત
રામ-લક્ષ્મણને
કારણકે સંસારતારક મુનિવરો માટે અઘટિત અને અસંભવિત બોલીબોલીને અને લખી-લખીને અજ્ઞાત જનતાને સન્માર્ગથી ઉભગાવી દેવી એના જેવું એક પણ ઘોર પાપકર્મ નથી.
બાકી એ વાત તો તદ્ન સાચી જ છે કે, સાધુઓ સંસારીઓના ઘર મંડાવનારા નથી જ, એ પુણ્યપુરુષો તો નાશવંતા ઘરોને પોતાના માની લઈને જીંદગીને બરબાદ કરી રહેલા આત્માઓમાં જે જે યોગ્ય આત્માઓ છે, તે-તે, યોગ્ય આત્માઓને આખાએ સંસારની અસારતાનું સાચું ભાન કરાવી જ્યાં આત્માનો શાશ્વત સુખમય વાસ થઈ શકે તેમ છે, ત્યાં પહોંચાડનારા એકના એક અનુપમ અને અજોડ એવા મુનિપણાના માર્ગે જ ચઢાવનારા છે. એથી જ એ પુણ્યપુરુષો સંસારની વસતિને ઘટાડનારા છે એ વાત તદ્ન સાચી જ છે, પણ સાથે એ વાત પણ એટલી જ સાચી છે કે, પુણ્યપુરુષો મુમુક્ષુઓની વસતિમાં એકાંતે વધારો જ કરનારા છે, કારણ કે તે પુણ્યપુરુષોની ભાવના તો એ પ્રકારની છે કે,
“શિવમસ્તુ સર્વ નવતર,ઘરહિતનિસ્તા Aવસ્તુતા ? ઢોષ પ્રયાકાશ, સર્વત્ર સુરતી વસ્તુ નોdo: ”
સારાએ જગતનું કલ્યાણ થાઓ, સઘળાંએ પ્રાણીસમૂહ (ભૂતગણો) પરનું હિત કરવામાં અતિશય રક્ત બનો, દોષમાત્ર નાશ પામો અને સર્વત્ર લોકો સુખી છે."
આ જ એક પવિત્રમાં પવિત્ર ભાવના છે. આ ભાવનાના યોગે જગતભરનું અકલ્યાણ કરવામાં જ મચી પડેલી દુનિયામાં, પોતાની સાથે અન્યને પણ પરનું અહિત કરવાના પ્રયત્નમાં જ જોડવાનું કાર્ય કરનારી દુનિયામાં, દોષોને શાશ્વત સ્થાયી બનાવવાના જ કાર્યમાં
મશગુલ બનેલી દુનિયામાં અને સુખાભાસમાં મુંઝવીને ભયંકર હતી. દુઃખના ખાડામાં જ ધકેલી દેવાનો ધંધો કરતી દુનિયામાં, આની સામે
સાધુઓથી ભયંકરમાં ભયંકર ઉપદ્રવો મચતા હોય, તો એમાં એક લેશ પણ શંકા નથી કારણકે સાધુઓ દ્વારા તેમ થવું એ તદ્દન સ્વાભાવિક જ છે અને હોવું જોઈએ, કેમ કે એમ થયા વિના કદી જ
us