________________
ADDD.
“આત્મહિતકર પ્રવૃત્તિમાં અતિશય અપ્રમત બનેલા, પૌદ્ગલિક છે. પ્રવૃત્તિમાં બહેરા, આંધળા અને મૂંગા થયેલા તથા સદાય એક શિવપદના જ R. ઉપયોગમાં રક્ત બનેલા એવા"
એકના એક પુત્રમુનિ પર તૂટી પડે, અને ધ્યાન દશામાં સ્થિર થઈ ઊભેલા પત્રમુનિને ભૂમિ ઉપર પટકે, તથા પટકીને તે મહામુનિના અંગની ચામડીને નખરૂપ અંકુશો દ્વારા ચીરી નાંખે, અને ચામડી ચીરાઈ જવાના યોગે શરીરમાંથી નીકળી રહેલા લોહીને, મારવાડની મુસાફર સ્ત્રીની જેમ તૃષાર્તપણે પીએ, એ શું મોહરાજાનો જેવો તેવો વિલાસ છે ? કહેવું જ પડશે કે જેવો તેવો નહીં, પણ ન વર્ણવી શકાય તેવો વિલાસ છે.
પણ એય વાત ધ્યાનમાં રાખવા જેવી છે કે મોહરાજા જેમ પોતાને આધીન બનેલા આત્માઓને યથેચ્છ નચાવવાનું કૌવત ધરાવે છે, તેમ ધર્મરાજા પણ પોતાના શરણે આવેલા કેવળ કલ્યાણકાંક્ષી આત્માઓને સર્વોત્તમ કોટીના ધીર બનાવવાનું સારામાં સારું સામર્થ્ય ધરાવે છે. ધર્મરાજાના એ સામર્થ્ય આગળ સદાય મોહરાજાનું કૌવત હાર્યું છે. હારે છે અને હારશે. એમાં લેશપણ શંકા નથી. એનો જ પ્રતાપ છે કે મોહરાજાના ભયંકરમાં ભયંકર પંજામાં સપડાયેલા આત્માઓ, એક-બે નહિં પણ આજ સુધીમાં અનંતા આત્માઓ આ સંસાર કારાગારને તોડી-તોડીને 3 સિદ્ધિપદે પહોંચી ગયા છે. વર્તમાન કાળમાં સંખ્યાબંધ આત્માઓ એ જ રીતે સંસાર કારાગારને તોડી તોડીને સિદ્ધિપદે પહોંચી રહ્યા છે, છે. અને ભવિષ્યકાળમાં અનંતા આત્માઓ પહોંચી જશે. મોહરાજાનું કૌવત તે જ આત્માઓ પર ચાલી શકે છે કે જે આત્માઓએ આત્મસમર્પણપૂર્વક શ્રી ધર્મરાજાનું કાયમી શરણ નથી સ્વીકાર્યું.
એટલે આપણે તે વાતમાં કોઈપણ રીતે મૂંઝાવાનું નથી કે, વાઘણના આવા ઉત્કટ ઉપસર્ગ પ્રસંગે રાજર્ષિ શ્રી સુકોશલ મહામુનિ કઈ રીતે પોતાનું ધ્યાન ટકાવી શકશે ? કારણકે જે રીતે સહદેવી મોહરાજાને આધીન થઈ આત્માનું ભાન ભૂલી સ્વ-પરનો 6 નાશ કરવામાં સજ્જ બની છે, તે જ રીતે રાજર્ષિ શ્રી સુકોશલ મહામુનિ, આત્માના સ્વરૂપમાં રક્ત બનીને સ્વ-પરનું શ્રેય સાધવામાં
વિવેકીસ્નેહીમાં સાથ : હિતેષતા હોય છે..૩