________________
શોક, દુનિ અને ધર્મધ્યાનનું કારણ
૪
શ્રી સુકોશલ મહારાજાએ દીક્ષાનો સ્વીકાર કરતાં પૂર્વે પોતાના ગર્ભસ્થશિશુને રાજા બનાવવાનું સૂચન કર્યું હતું. તે હિરણ્યગર્ભ રાજા થયા, તેઓ એકવાર માથા ઉપરના સફેદવાળને જોતાં જ શોકાકુળ બન્યાં.
મિથ્યાદૃષ્ટિને દુર્ધ્યાનનું કારણ બનનાર શોક, સમ્યક્ત્વીને ધર્મધ્યાનનું કારણ બને છે શ્રી હિરણ્યગર્ભ રાજા સુંદર વિચારોના પરિણામે વિરક્તભાવ પામીને દીક્ષાનો સ્વીકાર કરે છે અને મોક્ષપદને પામે છે.
તેમના પુત્ર નઘુષરાજા અને સિંહિકાદેવીના પ્રસંગમાં સત્ત્વ આદિનું વર્ણન કરીને જે રીતે સતીત્વનો પ્રભાવ વર્ણવાયો છે તે શીલના સૌન્દર્યરુપ છે. છેલ્લે તેઓના પુત્ર સોદાસ રાજા બને છે એ અતિશય માંસ લોલુપ છે અને તેના રાજ્યમાં શ્રી અરિહંતદેવના અષ્ટાહિનકા મહોત્સવમાં અમારિની ઉદ્ઘોષણા થાય છે વિગેરે વિસ્તૃત પ્રકરણ દ્વારા પૂર્વકાળ અને આજની તુલના માટે ઉપયોગી છે.
-શ્રી
૮૫