________________
ગર્વ ઉતારી નાંખે છે. એ જાતિગુણના પ્રતાપે શ્રી નઘુષ મહારાજાની પટરાણી સિંહિકા મહાદેવીએ આવી આકસ્મિક આફતના સમયે ફ્ક્ત પોતાનું શૌર્ય પ્રગટ કર્યું અને પરાસ્ત કર્યા તેનું વર્ણન કરતાં ફરમાવે છે કે
2
तदा च सिंहिकादेवी, पुंवत्तानभ्यषेणयत् । ભિનાયાનાશયાŽાશુ, હિંસિંહો હંત ન હિવાન શ્રી
“તે શ્રીમતી સિંહિકાદેવીએ પુરુષની જેમ તેઓની સામે ધસીને વિજય પ્રાપ્ત કર્યો અને દુશ્મોનોનો એકદમ નાશ કર્યો. શું સિંહણ હસ્તિઓને ન હણે? અર્થાત્ હણે જ. એ જ રીતે સિંહણ સમી સિંહિકા દેવીએ હસ્તિસમા શત્રુઓ ઉપર પોતાના પરાક્રમના પ્રતાપે ધાર્યો વિજય જોતજોતામાં મેળવી લીધો.”
આ બાજુએ શ્રીમતી સિંહિકાદેવીએ દક્ષિણાપથના રાજાઓ ઉપર વિજય મેળવ્યો ત્યારે બીજી બાજુથી નઘુષ મહારાજા પણ ઉત્તરાપથને જીતીને કોઈ એક દિવસે પાછા પોતાની રાજધાનીમાં પધાર્યા. મહારાજાએ પોતાની રાજધાનીમાં પધારતાની સાથે જ પોતાની પત્નીના જયના સમચાર સાંભળ્યા અને એથી તો મહારાજા વિચારવા લાગ્યા કે
स्पष्टधाष्टर्यमिदं कर्म, दुष्करं मादृशामपि ।
મહાપ્રસૂતાનાં, મહિનાનાં ન યુન્યતે ૧૨ “આ કર્મ એ સ્પષ્ટપણે ધૃષ્ટતા છે અને મારા જેવાઓ માટે પણ દુષ્કર છે, આ કારણે મહલ્કુલમાં ઉત્પન્ન થયેલી મહિલાઓ માટે આ જાતનું કર્મ એ
યોગ્ય નથી."
આવા વિચારથી શ્રી નઘુષ મહારાજાએ પોતાના ચિત્તમાં નિશ્ચય કર્યો કે,
तन्नूनमसती सेयं, सत्यो हि पतिदेवताः । પતિસેવાં વિના નાન્યત્ નાનતે વેદશં પુનઃ રોજર
“જે કારણે આ સ્રીએ મારા જેવાઓ માટે પણ દુષ્કર એવું પણ કર્મ કરીને ધૃષ્ટતા આચરી તે કારણથી એ વાત નિશ્ચિત છે કે આ સ્ત્રી અસતી છે. અન્યથા, સતીઓ તો પતિને દેવતા તરીકે સ્વીકારનારી હોય છે, એટલે તેઓ પતિની સેવા વિના બીજું કશું જ જાણનારી હોતી નથી. તો પછી આવા પ્રકારનું કર્મ તો તે કેમ જ જાણી શકે અને આચરી શકે ?" આ પ્રમાણેનો
શોક, દુર્ધ્યાન અને
૯૧
ઘર્મધ્યાનનું કારણ...૪