________________
વર્તમાનકાળની વિષમદશા છે. આવી વિચારણાને અભાવે વર્તમાન વ્યવહારમાં પણ એવો કે છે કલુષિતભાવ પ્રવર્યો છે કે જેના પ્રતાપે શાંતિએ દેશવટો લીધો છે. અને અશાંતિએ અડ્ડો જમાવ્યો છે. આજના શાંતિના પ્રયત્નો પણ એવી જાતના થઈ રહ્યા છે કે શાંતિના નામે જ વિશ્વમાં એવી અશાંતિ પ્રવર્તાવે કે જેના પરિણામે જનતા પોતાનું આત્મભાન જ 9 વિસરી જાય ! આજની જનતાનો મોટો ભાગ અર્થ-કામની ઉપાસનામાં જ એવો અનુરક્ત બની ગયો છે કે એને અર્થ-કામની કારમી વેદી ઉપર પોતાની ધર્મભાવનાનું બલિદાન આપવામાં પણ અરેરાટી થાય તેમ નથી. આજે અહિંસા, સત્ય, સંયમ કે તપ પણ તે જ સાચા મનાય છે કે જે આજની દુનિયા માગે છે, તેવી જ સાધનામાં ઉપયોગી થતાં હોય ! આજે ધર્મની સાધના પણ પ્રાય: દુનિયાદારીની સાધનામાં જ મનાઈ રહી છે ! આજની મોટાભાગની જનતાને જેટલી ચિંતા પોતાના ઐહિક ઉદયની છે તેના અસંખ્યાતમાં ભાગ જેટલી પણ ચિંતા પોતાના સુદેવની, સુગુરુની કે સુધર્મની નથી, એટલું જ નહિ પણ આજની દુનિયાનો મોટોભાગ દેવ, ગુરુ અને ધર્મની શાસ્ત્રનિર્દિષ્ટ આરાધનામાં પ્રાય: માનતો પણ નથી !
જે વર્ગ દેવ, ગુરુ અને ધર્મની શાસ્ત્રનિર્દિષ્ટ આરાધનામાં માનનારો નથી, તે વર્ગ તો આજે એટલી બધી અધમદશામાં ઉતરી પડેલો છે કે એ આરાધ્ય તત્ત્વત્રયી, તેની આરાધના અને તેના આરાધક, એ ત્રણેની થાય તેટલી નિંદા કરવામાં, કરાવવામાં અને કરતા હોય તેઓને ઉત્તેજન આપવામાં જ પોતાના આ દુર્લભ ગણાતા માનવજીવનની ઇતિકર્તવ્યતા સમજે છે !
એ જ કારણે એવા વર્ગને આજે આદર્શ નાયકો? પણ અનાયાસે એવા જ મળી ગયા છે કે એમના કહેવાતા અહિંસાના નામે, બળીઆ સામે નમી પડવાનો અને નિરાધાર નિર્બળો સામે પીસ્તોલ ધરવાનો ઉપદેશ આપે છે સત્યના નામે દેવ અને ગુરુની આજ્ઞાથી પરાક્ખ બની મતિકલ્પના અને અંતર અવાજ ઉપર મુસ્તાક બનવાનું તથા શાસ્ત્રો અને શાસ્ત્રકારો પ્રત્યે વિના અભ્યાસે પણ યથેચ્છ આક્ષેપો કરવાનું શીખવે છે સંયમના નામે, અનંત ઉપકારીઓએ બાંધેલી સુંદરમાં સુંદર મર્યાદાઓ ઉલટાવી નાખી, વિના રોક-ટોકે અધમાધમ અનાચારો સહેલાઈથી પ્રવર્તે, એવા પ્રકારના બોધપાઠો સમર્પે છે. અને તપના નામે સાચા ત્યાગમાર્ગ તરફથી જનતા ઉભગી જાય અને પોતાના કલ્પિત ત્યાગમાર્ગે વળી
શહેક, દુર્થ્ય અને
ધર્મધ્યાનું કારણ