________________
સેત૮. ભગ-૨
9
રામ-લક્ષમણને
ચિત્તમાં નિશ્ચય કરીને પોતાને પ્રિય એવી પણ સિંહિકાદેવીનો ખંડિત પ્રતિમાની જેમ એકદમ નઘુષ મહારાજાએ પરિત્યાગ કર્યો. અર્થાત્ પૂજારી કેમ ખંડિત પ્રતિમાનો ત્યાગ કરે છે. તેમ નઘુષ મહારાજાએ કાલ્પનિક નિશ્ચયથી મહાસતી સિંહિકાદેવીનો કોઈપણ જાતનો વિચાર કર્યા વિના એકદમ પરિત્યાગ કર્યો.
સતીત્વનો અનુપમ પ્રભાવ આ પછી એક દિવસે નઘુષ મહારાજાને દાહવર ઉત્પન્ન થયો. અને તે એવો ભારે થયો કે દુષ્ટ શત્રુની જેમ સેંકડો ઉપચારો કરવા છતાં પણ તે શમ્યો નહિ. દુષ્ટ શત્રુમાં એવી કારમી શત્રુતા વસેલી હોય છે કે એને કાઢવાના સેંકડો પ્રયત્નો કરવામાં આવે તો પણ તે શમે નહિ. તેવી જ રીતે આ મહારાજાને પણ એવો ભયંકર દાહવર થયો હતો કે જે સેંકડો ઉપચારો કરવા છતાં પણ ન જ શમ્યો. પોતાના પતિને એવો ભયંકર ઘણજ્વર ઉત્પન્ન થયો છે અને તે કોઈ પણ પ્રકારે શમતો નથી. એ સમાચાર જાણીને મહાસતી સિંહિકાદેવી પોતાના સતીપણાને જણાવવા માટે અને પતિની પીડાને છેદવા માટે પણ તે જ સમયે પાણી લઈને પોતાના પતિની પાસે આવી, આવીને તે મહાસતીએ સત્યનું શ્રવણ કરાવતાં સ્પષ્ટ શબ્દોમાં પોતાના પતિને ઉદ્દેશીને કહયું કે,
"XXXXXXXXX, ત્વાં વિના નાથ યા ? पुमानैक्षि कदाप्यन्यो, ज्वरस्तढपयातु ते ॥१॥"
“હે નાથ ! જો મેં આપના વિના અન્ય પુરુષ કઈ પણ ન જોયો હોય તો આપનો આ જ્વર નાશ પામો.”
આ પ્રમાણે સ્પષ્ટ શબ્દોમાં સત્યનું શ્રવણ કરાવીને મહાસતી સિંહિકાદેવીએ પોતે આણેલા તે પાણીથી પોતાના પતિ ઉપર પર અભિષેક કર્યો. એ પાણીનો અભિષેક જે સમયે તે મહાસતીએ કર્યો તો તે જ સમયે અમૃતના સિચનની જેમ તે મહારાજા એકદમ જ્વરથી B સર્વ રીતે મૂકાઈ ગયા. અર્થાત્ જેમ અમૃતનું સિંચન શાંતિ સમર્પે, છું તેમ મહાસતીએ કરેલા જળના અભિષેકથી મહારાજાનો ઘણજ્વર છું એકદમ શમી ગયો, અને આ રીતે મહારાજાને પોતાની પટ્ટરાણીના જે સતીપણાનો પૂરેપૂરો સાક્ષાત્કાર થયો. સતીપણાના પ્રભાવે એકલો