________________
... ભાગ-૨
સી
20
રામ-લક્ષમણને
સભા : એનો જેઠ જીવે છે કે મરી ગયો ?
જો કે એને પણ બહાર નીકળતા સર્પ કરડે છે અને મરી જાય છે, પણ મદનરેખા એ નથી જાણતી. એ તો એને ભાવથી મરેલો માને છે. આવી નિર્ધામણા કરાવનાર ઘરમાં છે કોઈ ? ચોર ઘરમાં આવે, તિજોરી ફાડે, ગળે તલવાર ફેરવતા જાય, એવે અવસરે સંબંધી પેલા વેરાયેલા પૈસા વીણે કે નવકાર સંભળાવે ? સંબંધી કેવા છે? એ વિચારો ! અને સંબંધી એવા તૈયાર કરો કે જે ગમે તેવા પ્રસંગે સમાધિ આપે અને કલ્યાણના માર્ગે યોજે. શ્રી યુગબાહુ તો શાંત થઈ ગયા.
શ્રીમતી મદનરેખા આગળ બોલે છે કે,
“જેનું જેનું ખરાબ ચિંતવ્યું હોય તે સર્વની માફી માંગો, અપરાધીને પણ ક્ષમા આપો, પાપમાત્રનો પશ્ચાત્તાપ કરો, શુભકાર્યની અનુમોદના કરો અને ચારે આહારનો ત્યાગ કરો તથા અમને બધાને ભૂલી જાઓ તથા શ્રી અરિહંત પરમાત્માદિનું શરણ સ્વીકારો.”
શ્રી યુગબાહુ પણ વિચારે છે કે, 'આ તે સ્ત્રી કે ધર્મગુરુ ?” સ્ત્રીને ધર્મગુરુની બુદ્ધિએ પોતે હાથ જોડે છે, અભિગ્રહ પચ્ચખાણ વગેરે કરે છે અને કષાયમાં ચઢેલો શ્રી યુગબાહુ સમતાનો સાગર બની પાંચમાં દેવલોકે જાય છે.
આથી જ કહું છું કે કુટુંબમાં સુસંસ્કાર નાંખતાં શીખો, કુટુંબમાં પરસ્પર ધર્મની વાત કરતા શીખો, પણ ‘હાય પૈસો ! હાય અમુક !” એમ જ ન કર્યા કરો, અન્યથા ડૂબી જશો અને કોઈ ખબર-અંતર પણ નહિ પૂછે. પૈસા વગેરે જવાનું હશે તો જશે જ, પણ રોક્યું રહેશે નહિ, માટે એવી ખોટી ચિંતામાં પડી આત્મહિતનો નાશ ન કરવો એ જ શ્રેયસ્કર છે.
ઉત્કટ ઉપસર્ગ અને 'અનુપમધીરતા' મોહના કારણે કલ્યાણમાર્ગે વિહરતા પુત્રના નિમિત્તે પણ આર્તધ્યાનને વશ બનીને વાઘણ થયેલી માતાએ ઉત્તમકોટિના પુત્રને પુત્રમુનિ ઉપર ક્રોધાવેશમાં આવી કેવો ઉત્કટ ઉપસર્ગ કર્યો ? એ તો
આપણે જોઈ ગયા. એક માતા જેવી માતાનો આત્મા, ક્રોધાવેશમાં છે છે મહામુનિ એટલે સ્વ-પરમાં સમદશા ભોગવતા, એકાંતે, એક
મુક્તિમાર્ગની આરાધનામાં જ રક્ત બનેલા અને મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજના શબ્દોમાં કહીએ તો"आत्मप्रवृत्तावतिजागरुकः, परप्रवृतौ बधिरांधमूकः । સઢા દઢાનન્દ્રપઢાવોની, XXXXXXXX /?”
g