________________
સતત... ભગ-૨
છે
રિમ-લક્ષ્મણ
પણ હિતેષી માતા-પિતા આદિ તો કહી જ દે કે જો તારી ભાવના કલ્યાણ માર્ગે જવાની હોય તો અમારા માટે રોકાતો ના !'
ખરેખર, આવી ભાવનાવાળા માતા અને પિતા વગેરે પણ મરતા બાળકને નિર્ધામણા કરાવી શકે, બાકી આવી ભાવના વગરના માતા અને પિતા વગેરે તો મરતા બાળક પાસે આવીને ઉલટી ચિંતારૂપી અગ્નિ મૂકે અને રૂએ તથા રોતા રોતા બોલે ‘અમારું શું થશે?' આ પ્રમાણે બોલતા-બોલતા એવું દયામણું કરે કે પેલો યાદ આવેલા નવકારને પણ ભૂલી જાય. ખરેખર, સ્વાર્થી હોય તે સુખે મરવા ન દે તો સુખે જીવવા તો ક્યાંથી જ દે ?
જ્યાં કોરો સ્વાર્થ છે ત્યાં વ્યવહાર પણ કદરૂપો બને છે. તુચ્છ વ્યવહારીઓ તરફથી તો જ્યાંથી વાડકી આવે ત્યાં જ વાડકી દેવાય છે અને ન આવે ત્યાં તો પાણીનું ટીપું પણ નથી દેવાતું, તુચ્છ સ્વાર્થીઓથી વ્યવહારશુદ્ધિ પણ થઈ શકતી નથી, આ જ કારણે સાચા સેવક પણ સ્વાર્થ મૂકનારા જ બની શકે છે, બાકી સ્વાર્થી સેવકો તો નખ્ખોદ જ વાળે, આથી સ્પષ્ટ છે કે જેટલા અંશમાં વાસ્તવિક પરમાર્થશુદ્ધિ તેટલા જ અંશમાં કલ્યાણ. વાસ્તવિક પરમાર્થબુદ્ધિને ધરનાર ઉત્તમ માતા-પિતા તો અવશ્ય કહી જ દે કે ‘કલ્યાણનો માર્ગ તો આ છે, અમે તો સ્વાર્થી છીએ, સ્વાર્થના માર્યા ના પાડીએ છીએ ક્રૂર મોહ ન છોડે તો નરમાશથી કહેવા જોગ બધું જ કહે, પણ માર્ગને તો કદી જ ખોટો ન કહે.
વાઘણ થયેલી માતા પણ પૂર્વના કષાયના યોગે પોતાના પુત્ર અને પતિમુનિને જોઈને આનંદ પામવાને બદલે રોષાવેશમાં આવી જાય છે અને એ મહામુનિઓ ઉપર ધસી જાય છે. એ રીતે કારમાં રોષથી ધસી આવતી વાઘણને જોઈને એ મહામુનિઓ તો
ઘર્મધ્યાનમાં મગ્ન બની કાયોત્સર્ગ કરીને ઉભા. આ છતાંપણ રોષમાં “ી આવેલી વાઘણ તો પ્રથમ પુત્રમુનિ ઉપર પડી અને એ મહામુનિને
પૃથ્વી ઉપર પટક્યા. ધ્યાનમાં રાખજો કે વાઘણ એ માતાનો જીવ છે અને સુકોશલ પુત્રનો જીવ છે, વાઘણ બનેલી માતા પોતાના પુત્ર એવા શ્રી સુકોશલ મહામુનિની ચામડીને નખથી ઉખેડે છે, અંદરથી લોહીની શેરો ફૂટે છે મારવાડ દેશમાં મુસાફરી કરનાર, તરસ લાગે છે જેમ પાણી પીએ તે રીતે આ વાઘણ પ્રેમથી પોતાના પુત્રમુનિનું લોહી પીએ
HOLIC