________________
||COACHIE
ભરેલો બંધુ છે. પણ જે આત્મા તેવા આત્માને એટલે કે ભયંકર સંસારમાંથી છે નીકળવાની કામનાએ વિશ્વહિતકર શ્રી જિનેન્દ્રદેવોએ ફરમાવેલા ધર્મમાં પ્રવૃત્તિ કરી કરતા આત્માને ખોટા સ્નેહ-મોહથી અટકાવે છે, તે આત્માનું અહિત કરનારો | હોવાથી પરમાર્થે કરીને વૈરી છે.
ઉપકારીઓના આ કથન મુજબ શ્રી વસંતલતા જે સુકોશલ મહારાજાની ધાવમાતા છે, તે વૈરિણી ન હતી પણ સાચા એટલે કે હિતકર સ્નેહથી ભરેલી હતી. તેણે પ્રથમ રોવાનું કારણ જણાવતા પઉમચરિયમૂમાં કહયું છે કે
જો તમfમrrers ૨ ને ? ठविऊण य पव्वडओ, सो तुज्छा पिया इह पविट्ठो ॥ भिक्खट्टे विहरन्तो, जणणीए तुज्झ टुलपुरिसेहिं । धाडविओ य अज्जं पुत्तय तेणं मए रुण्णं ॥
હે પુત્ર ! જે તારા પિતા કીર્તિધર મહારાજા તને રાજ્ય ઉપર અભિષિક્ત કરીને શૈક્ષિત થયા હતા, તેમણે આ આપણા નગરમાં પ્રવેશ કર્યો. અને તે પછી ભિક્ષા માટે વિહરતા એવા એ તારા પિતા મુનિને તારી માતા સહદેવીએ આજે દુષ્ટ પુરુષો દ્વારા નગરની બહાર ત્રાસપૂર્વક કાઢી મૂકાવ્યા, તે જ કારણે તે પુત્ર ! હું રોઉં છું.'
આ પ્રમાણે રોવાનું કારણ કહા બાદ એ કાઢી મૂકવાનું કારણ શું છે? એ સમજાવતા તે પરમહિતચિંતિકા ધાવમાતાએ કહ્યું
ढगुण पासंडे, मा निव्वेओ य होहिड़ सुयस्स । तण चिय नयराओ, निच्छूढा लिंगिणो सव्वे ॥ उज्जाणकाणणाडं, पुक्खरिणीवाहियालिमाईणि । नयरस्स ब्भिन्तरओ, तुज्झ कयाडं च जणणीए ॥
વ્રતધારીઓને જોઈને મારા દિકરાને નિર્વેદ ન થઈ જાય તે જ કારણે નગરમાંથી સઘળાંય લિંગીઓને એટલે સઘળાંય મતના સાધુઓને તેણે નગરની બહાર કઢાવ્યા. એટલું જ નહિ પણ તે તારી માતાએ તું બહાર ન જાય તે માટે તારા માટે હરવા-ફરવા અને રમવાનાં ઉદ્યાનો, કાનનો, વાવડીઓ અને ખેલવાની જગ્યાઓ વગેરે નગરની અંદર જ કરાવેલ છે. કારણકે
મરે તુક્ત વંસે, પુરણ ને નરવ૬ પ્રકૃવત્તા ? ते वि य भोत्तूण महिं पव्वज्जमुवागया सव्वे ॥ एएण कारणेणं, न देड नयरस्स निग्गमं तुज्डा ॥ मा निसुणीऊण धम्म, निवखमेही जायसंवेगो ॥
વિવેકહીમાં સાચી 9 હિતેષતા હોય છે...૩