________________
(CIAL
અર્થી આત્માઓએ તો સર્વસ્વના ભોગે પણ એ પરમકલ્યાણમય છે ધર્મની આરાધનામાં જ રક્ત બનવું જોઈએ, પણ જેઓથી થતી આરાધના ન થઈ શકે તેઓએ પણ વિરાધનાથી અવશ્ય બચવું છું જોઈએ, કારણકે એમ કર્યા વિના આ સંસારનો અંત કદી જ આવે તેમ નથી.
એ જ કારણે વિરાધના ન થઈ જાય એની કાળજી રાખવા-હ પૂર્વક બંનેય રાજર્ષિઓ, એ પરમતારક ધર્મની આરાધનામાં એકતાન બન્યા છે અને એ એકતાનતામાં રક્ત બનેલા રાજર્ષિઓને નથી નડતા પરીષહો કે નથી નડતા ઉપસર્ગો, ઊલટા એ પરિષહો અને ઉપસર્ગો તો એ પુરુષસિંહોને મોક્ષમાર્ગની આરાધનામાં પરમ સહાયરૂપ થાય છે. એથી જ એ પુરુષસિંહો એ પરિષદો અને ઉપસર્ગોની પરવા કર્યા વિના આરાધનાનાં માર્ગમાં અનુપમ રીતે આગળ વધ્યે જ જાય છે. મુક્તિમાર્ગના આરાધકોને તો પરીષહો અને ઉપસર્ગોની સામે સંગ્રામ ખેલવામાં જ આનંદ હોય છે.
એ જ હેતુથી તીર્થપતિના આત્માઓ, કે જે આત્માઓનો આ દુનિયામાં જોટો નથી, તેઓ પોતાના અંતિમ ભાવમાં પણ પ્રશમામૃતની તૃપ્તિ શાના યોગે પામે છે ? એ દર્શાવતા મહિમસ્તવ' નામના પ્રકાશ દ્વારા શ્રી વીતરાગ પરમાત્માના માહાભ્યની સ્તવના કરતાં કલિકાળસર્વજ્ઞ આચાર્ય ભગવાન્ શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજા સ્તવે છે કે. “પરીષહૈદ્ય, મુપસનું પ્રતિલિમ્િ ? प्राप्तोऽसि शमसौहित्यं, महतां कापि वैदुषी ॥१॥"
હે સ્વામિન્ ! પરીષહસેનાનો વિનાશ કરતા અને ઉપસર્ગોનો પ્રતિક્ષેપ કરતા આપ શમસૌહિત્યને પામ્યા છો તે કારણથી જણાય છે કે હે નાથ ! મહાપુરુષોની વિદ્વતા કોઈ અલૌકિક હોય છે !”
આ ઉપરથી એ પરમતારકના શાસનમાં અલંકાર સમા મુનિવરોએ સમજવું જોઈએ, કે ઉપસર્ગોનું સહન અને તપશ્ચર્યાનું તપન, એ તો મુનિપણાના અનુપમ અલંકારો છે. એ અલંકારો
વિવેકહીમાં સાચી 9 હિતેષતા હોય છે...૩