________________
એ જ રીતે મહાસતી મનોરમા પણ એ જ વિચારે છે કે મારા $ પતિ મને સંયમ લેવાનું નથી કહેતા, પણ એ પોતે સન્માર્ગે જઈ મને હરિ એ સન્માર્ગે જવાનું સૂચવે છે. આથી શ્રીમતી મનોરમાને ખોટું નથી હું લાગતું, કારણ કે સાચા સતીધર્મને પીછાણનારી ધર્મપત્નીઓની ફરજ જ એ છે કે પતિના સન્માર્ગમાં વિધ્વરૂપ ન થતાં અનુયાયિની થઈને સહાયક થવું અને ઉન્માર્ગે જ્યા પતિને ઉન્માર્ગે જતાં જ અટકાવવાના ઈરાદાથી સિંહણ જેવું બનવું.
પણ આજની દશા તો એથી તદ્દન વિચિત્ર છે. જો એમ ન હોય તો કહો કે ઉન્માર્ગે જતા પતિને આજે કેટલી સ્ત્રી રોકે છે ? શાની રોકે? કારણકે ઉન્માર્ગે જવામાં જ જ્યાં આનંદ મનાય, ત્યાં રોકે કોણ ? એટલે આજે તો સન્માર્ગે જાય ત્યાં જ બધી પંચાતો ઉભી થાય છે.
પરમતારક શ્રી જૈનશાસનને જેઓ માનતા હોય તેઓને માટે જ આ બધી વાતો છે. હો, જેઓ ન માનતા હોય તેઓને માટે નહિ, કારણકે જેઓને પ્રભુશાસન ન ગમે તેઓને માટે આવી વાતો રસદાયક નથી જ કારણકે જેને શ્રી જિનેશ્વરદેવ ન ગમે, પરમતારક શ્રી જિનશાસન ન ગમે, એ અનુપમ શાસનની અનુપમતાનું સમર્થન કરતા શ્રી જિનાગમો ન ગમે તેને મહામુસીબતે શુદ્ધ છે આગમોમાંથી મેળવીને કાંઈક-કાંઈક કહેવાય તે પણ કેમ જ ગમે? ૩૧ અને જેને શી જિનાગમ વગેરે ન ગમે, તેઓને અમે ઝમીએ કે હું અમારા વચનો ગમે, એમાં અમારી કિંમત કે પ્રતિષ્ઠા પણ શી બળી છે ? અમારા વચનોથી કે અમારાથી તેઓને પ્રભુશાસન પ્રત્યે પ્રેમ થાય તો જ અમારી કે અમારા વચનની કિંમત ખરી બાકી તો અમારી 2, કે અમારા વચનોની એક ફૂટી કોડીની કિંમત નહિ.
કેવો સુંદર યોગ ! કેવી સુંદર ભાવના ! આ તો એક પ્રાસંગિક જરૂરી વાત કહી. હવે અહીં તો શ્રીમતી મનોરમાએ એવો નિર્ણય જ કર્યો કે પતિ મુકુટ ઉતારે એટલી જ વાર. શ્રીવાજબાહુએ મુનિ પાસે જઈ મુકુટ જેવો ઉતાર્યો કે શ્રીમતી મનોરમાએ પણ પોતાના કંકણ આદિ ઉતાર્યા.
ઉત્તમ કુળ
અનુપમ મહિમ....૧