________________
ર. સા. ભાગ-૨
રામ-લક્ષ્મણને
તથા મુનિ અને રસનો લોલુપી એ જ ખરેખર વિડંબના છે. પ્રભુશાસનના મુનિપણા સાથે એ વસ્તુઓ ઘણી જ ભયંકર ગણાય છે. ધનનો અર્થી, વિષયોનો અભિલાષી અને રસોમાં લોલુપ બનેલો મુનિ, પ્રભુશાસનના મુનિપણાને કોઈ પણ રીતે સાચવવું જોઈએ તે
રીતે સાચવી શકતો નથી, પણ ઉલટો એ પરમતારક મુનિપણાને તે લજવે છે. એવા આત્માને નથી ગમતી ગુરુનિશ્રા કે નથી ગમતી
આગમરસિકતા. એવા આત્માઓને તો તેવો જ સહવાસ રુચે છે કે જે પોતાની લાલસાઓનું પોષણ કરે અગર તો તેની આડે ન આવે,
એના પરિણામે તેવા વેષવિડંબક આત્માઓ એકાકી વિહાર, કે જેનો - શાસ્ત્ર આજ કાલ સર્વથા નિષેધ કરેલો છે, તેનો આશ્રય કરે છે,
અગર તો કોઈ તેવા જ રખડતા અને પોતાની જેમ સ્વચ્છેદી બનીને વિહરતાનો સાથ કરે છે, અને આગમપ્રણીત સન્માર્ગની કિંમત ઘટાડવાની પ્રવૃત્તિ પણ એવાઓ ચાલાકીપૂર્વક આદરે છે.
એ જ કારણે એવા અધમ આત્માઓને ઘંભિક તરીકે, વેષધર તરીકે, ધૂર્ત તરીકે અને માત્ર જનરંજક તરીકે ઓળખાવતા એ જ પરમોપકારી પરમમહર્ષિ ફરમાવે છે કે – "ये लुब्धचित्ता विषयार्थभोगे, बहिर्विरागा हृदिबद्धरागाः। ते हाभिकर वेषधराश्च धूर्ताः, मनांसि लोकस्य तु रञ्जयन्ति ।"
જેઓનું ચિત્ત વિષયાર્થભોગમાં લુબ્ધ છે અને જેઓ બહારથી વૈરાગી દેખાવા છતાં હદયમાં બધ્ધરાગ છે, તે વધારી ધૂર્તા ઘંભિક હોઈને માત્ર લોકના મનને જ પંક્તિ કરે છે.
પણ વૈરાગ્યરંગથી પોતાના આત્માને તે કનિષ્ટ કોટિના આત્માઓ કદી જ રંગી શકતા નથી, કારણકે એવા આત્માઓને વૈરાગ્યના રંગ સાથે રંગ જ નથી હોતો, તેવા આત્માઓએ તો માત્ર વેષના યોગે એક જ વસ્તુના ઈચ્છનારા હોય છે કે ગમે તે ભોગે પણ
આપણી લાલસાઓ પૂર્ણ થવી જોઈએ. એવી તુચ્છ લાલસાઓની પતિ સાધનામાં પડેલા પામરોને માત્ર પોતાના જ ખાનપાનની પડેલી હોય
છે. તેઓને નથી મુનિપણાની પરવા હોતી કે નથી પ્રભુપ્રણીત
માર્ગની પરવા હોતી. ઉં સુંદર સાધુપણાને પામીને પણ એવી દુર્દશા ન થઈ જાય, તેની
કાળજી કલ્યાણના અર્થી આત્માઓએ પૂરેપૂરી રાખવી જોઈએ. એવી