________________
ભગ-૨
03 )
વિચારો કે પરમવિરક્ત પુણ્યાત્માઓની દશા કેવી અને કેટલી પવિત્ર તથા નિર્મોહ હોય છે? વિરક્ત દશા અને દુનિયાદારીની દશાને પરસ્પર મેળ હોઈ જ નથી શકતો એ ખાસ ધ્યાનમાં રાખો. મોહમગ્ન આત્માઓની વિચારણા કરતા વિરક્ત આત્માઓની વિચારણા જુદી જ હોય છે અને હોવી જ જોઈએ એમ હૃદયપૂર્વક સ્વીકારો. જો વિરક્ત આત્માઓની અને મોહમગ્ન આત્માઓની વિચારણા એક
સરખી જ સ્વીકારવામાં આવી હોત તો વિશ્વમાં શ્રી તીર્થપતિનું હું શાસન હોત જ નહિ અને વિશ્વમાં જે થોડાંપણ સુખ કે શાંતિ દૃષ્ટિગોચર થઈ રહી છે, એ પણ ન હોત, એ વાતને બરાબર સમજો.
આવી વસ્તુઓ પ્રભુશાસનને પામેલા ન સમજે એ કેમ જ બને ? અને પ્રભુશાસનને પામવાની મનોભાવનાવાળાઓ, એ વસ્તુઓ સમજવાની કાળજી ન કરે એ પણ કેમ જ ચાલે ? જેઓ આ વસ્તુઓ સમજ્યા નથી કે ઉપકારીઓના કથનથી સદહતા નથી, તેઓ પ્રભુશાસનને પામ્યા જ નથી અને તે વસ્તુઓને સમજવા કે સદણવા જેઓ ઈચ્છતા નથી, તેઓ પ્રભુશાસનને પામવાને પણ લાયક નથી, એ વાત સહદય આત્માઓ ઘણી જ સહેલાઈથી સમજી શકે તેમ છે.
| દુર્ગાનના પ્રતાપે સહદેવીની દુર્ગતિ રાજા મટીને રાજર્ષિ બનવાની ભાવનાની આડે આવનારી પત્ની કે માતાની એક લેશ પણ પરવા કર્યા વિના, બંનેય પરમ પુણ્યશાળી રાજાઓ, રાજા મટીને રાજર્ષિ બન્યા. એ રીતે રાજર્ષિ બન્યા પછી પણ એ પુણ્યાત્માઓ, દુનિયાની કોઈપણ પ્રવૃત્તિમાં લેપાયા વિના મોક્ષમાર્ગની આરાધનામાં જ રક્ત બન્યાને એ આરાધનાની પ્રવૃત્તિનું વર્ણન કરતાં ઘણાં જ ટૂંકા શબ્દોમાં લખ્યું છે કે
निर्ममौ निष्कषायौ तौ, पितापुत्रौ महामुनी। જી વિનૌતુતાવેવ, પવિયંતી મહંતનમ ?
નિર્મમ અને નિષ્કષાય એવા તે બંનેય પિતાપુત્ર મહામુનિઓ સાથે જ ઉં પૃથ્વીતલને પાવન કરતા વિહરવા લાગ્યા,
આ વર્ણન ઉપરથી એ વાત સારી રીતે સમજી શકાય તેમ છે કે ઉં દેખાવમાં મુનિ થઈ જવા માત્રથી આત્મકલ્યાણ સાધી શકાતું નથી,
પણ મુનિપણાને દીપાવનારી નિર્મમતા અને નિષ્કષાયતા કેળવી