________________
વિવેકીસ્નેહીમાં સાચી હિતેષીતા
હોય છે
શ્રીકીર્તિધવલ અને શ્રી સુકોશલ એ પિતા-પુત્ર મુનિવરો માત્ર પરસ્પર પિતા-પુત્ર તરીકે સ્નેહી જ નથી, પણ વિવેકી સ્નેહી છે તેથી હિતૈષીતા છે,
જ્યારે માતા સહદેવી સ્નેહી હોવા છતાં મોહની ઘેલછા હોવાથી હિતેષીપણું ગુમાવી બેઠી છે. તેથી એ જે રીતનો જુલમ ગુજારે છે તે કયા વિવેકીને વિચારમાં ન મૂકે ?
કૃપાળુનાથ પ્રવચનકારશ્રીએ ‘શ્રી ઉપમિતિકથાગ્રંથ’ અને ‘શ્રી પઉમચરિયમ્' આદિના આધારે વિવેકીસ્નેહીને જે રીતે વિવેચ્યો તે છે તે અને બંને પિતા-પુત્રોની અપૂર્વસાધના, ઉપસર્ગ, નિશ્ચળતા, કેવળજ્ઞાન અને મોક્ષની પ્રાપ્તિ તથા વાઘણ બનેલી માતા સહદેવીને પણ જાતિસ્મરણના પ્રભાવે ઉપકાર અને વળી મદનરેખાયુગબાહુનો પ્રસંગ આદિ આ પ્રકરણમાં જે વર્ણવાયું છે તે ભલભલાના હૃદયના તારને ઝંકૃત કરે તેવું છે. ચાલો,
આપણે સ્વયં અનુભવીએ...
પહ