________________
“આ મારા પતિએ પ્રવ્રજ્યા અંગીકાર કરી એ કારણે હું પ્રથમ પતિહીન છે તો થઈ જ છું, પણ જો આજે આને જોઈને મારો પુત્ર સુકોશલ પણ પ્રવ્રજ્યા R 4 અંગીકાર કરે તો તે મારો પુત્ર ન રહે, અને જો એમ બને તો ત્યારથી જ આરંભીને જીવનભર હું વીરપુત્ર વિનાની જ બની જાઉં; એટલે કે વીરપત્ની તો મટી જ ગઈ છું પણ વીરમાતા પણ મટી જ જાઉં !” તે કારણથી આ નિરપરાધી પતિ હોવા છતાં પણ અને વ્રતધારી હોવા છતાં પણ પુત્ર અને રાજ્યની સ્થિરતા ? કરવાની ઇચ્છાથી આ નગરીમાંથી બહાર કઢાવવા યોગ્ય જ છે, એટલે કે આ = ગમે તેવો સારો હોવા છતાં પણ મારા નગરમાં રહે એ યોગ્ય નથી, પણ નગરીની બહાર કઢાવવો એ જ યોગ્ય છે.'
ભાગ્યશાળી ! વિચારો કે સ્વાર્થવિવશ બનેલી સહદેવીની વિચારણા કેવી અને કેટલી વિવેક વગરની છે ? પોતે જાણે છે કે નગરમાં ભ્રમણ કરતા આ મહામુનિ બીજા કોઈ નથી પણ મારા પોતાના પતિ છે, પતિ છે એટલું જ નહિ પણ નિરપરાધી છે, અને વધારામાં વ્રતોને ધરનારા છે, એ છતાં પણ પાપાત્મા સહદેવીની પોતાના તુચ્છ સ્વાર્થના કારણે ભક્તિ પણ કરવા યોગ્ય મુનિને નગરની બહાર કઢાવવાના મનોરથ સેવે છે, એ શું જેવી તેવી વિવેક હીનતા છે ? પત્નીનાં મોહમાં ફસાયેલાઓએ મોહના સ્વરૂપને 9 સમજવા જેવું છે. મોહવશ આત્મા મોહવિવશતાથી કેવી-કેવી મનોદશા સેવે છે એ અવશ્ય વિચારણીય છે. જે સહદેવી એક વખત તે પોતાના પતિ ચાલ્યા ન જાય એવા પ્રયત્નો કરતી હતી, તે જ છે સહદેવી આજે પોતાના પતિ કે જે રાજા મટીને રાજર્ષિ બન્યા છે. $ તેમને પણ પોતાના નગરની બહાર કઢાવવાના પ્રયત્નો સેવે છે, એ મોહનું કેવું કારમું સ્વરૂપ સૂચવે છે ! ખરેખર, મોહનો સ્વભાવ જ એવો છે કે તેને આધીન બનેલા આત્માઓ, આજે અમુકની ખાતર અમુકને મારવા તૈયાર થાય છે, તો કાલે વળી જેની રક્ષાનો પ્રયત્ન કરતા હતા તેનો જ નાશ કરવાના પ્રયત્ન કરે છે. મોહવશ બનેલા 8 આત્માઓ કોઈના થયા પણ નથી અને થવાના પણ નથી, માટે મોહાંધોની મોહમગ્નતામાં મૂંઝાવું, એ ખરેખર જ ભયંકર મૂર્ખતા છે, કારણકે મોહાંધોનું જીવન એક રીતે ક્રૂર હોય છે. એવા ક્રૂર જીવનની છે, સાધનામાં પડેલા તે આત્માઓ વિવેકવિકળ વિચારોથી જ નથી
જાણે સમ્યક્ત્વ અને રિનો વારસો જ હશે ?