________________
સ૮૮. ભાગ-૨
રામ-લક્ષ્મણને
વિરમતા પણ એ વિચારોનો અમલ કરવા પોતાની સઘળી શક્તિ ખર્ચે છે.
વિવેક વગરની વિચારણા એ જ નીતિએ મોહાંધ સહદેવીએ શુભાશુભનો સ્ટેજ પણ વિચાર ર્યા વિના પોતાની સઘળી જ સત્તાનો દુરૂપયોગ કર્યો અને તે રાણીએ અન્ય લિંગીઓની સાથે રાજા મટીને રાજર્ષિ બનેલા પોતાના પતિદેવ શ્રી કીર્તિધર રાજષિને પણ નગરમાંથી બહાર
કઢાવ્યા. આ દુષ્ટ કાર્યને ફીટકાર આપતા કલિકાલસર્વજ્ઞ આચાર્ય (૪૮ ભગવાન્ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા ફરમાવે છે કે,
“નોકામસૂતેમનસાં, વિવેવ : સ્થાત્વિજયશ્ચિમ્ ?”
જેઓનું મન લોભથી અભિભૂત થયું છે તેવા આત્માઓમાં વિવેક કેટલો કાળ ટકી શકે તેમ છે? અર્થાત્ તેવા આત્માઓમાં ચિરકાળ સુધી વિવેક ટકી શક્તો જ નથી.
ખરેખર, લોભ એ એવી ભયંકર વસ્તુ કે ભલભલા આત્માઓ પાસે એ નહિ કરવાનું કાર્ય કરાવી નાખે છે, એ લોભનો જ પ્રભાવ છે કે પ્રથમ સહદેવીએ પતિના મોક્ષમાર્ગના પ્રમાણમાં વિઘ્ન નાખ્યું, અને બીજી વખત નિરપરાધી અને વ્રતધારી એવા પતિમુનિને પોતાના નગરમાંથી કારમી રીતે બહાર કઢાવ્યા. માસક્ષમણના પારણા માટે ભિક્ષાર્થે ભ્રમણ કરતા મુનિની ભક્તિ કરવાને બદલે આવું ક્રૂર કાર્ય કરાવનાર કોઈ હોય તો સહદેવીના હૃદયમાં રહેલો લોભ જ હતો. એ લોભના યોગે એવું ક્રૂર કાર્ય કર્યા છતાં પણ સહદેવીનું હદય ન દ્રવ્યું, પણ સુકોશલની ધાવમાતાનું હદય તો ઘણું
જ ઘવાયું, કારણકે તેનું હદય એવા દુષ્ટ લોભથી અભિભવને પામેલું છે ન હતું દુષ્ટ લોભથી અલિપ્ત રહેલા સુકોશલની ધાવમાતાને આવો પર ક્રૂર બનાવ બનવાથી અતિશય દુ:ખ થયું
धात्री सुकोशलस्याथ, स्वामिनं व्रतधारिणम् । पुराग्निर्वासितं ज्ञात्वा, रोदिति स्म निरर्गलम् ।।
| "વ્રતધારી સ્વામિને નગરમાંથી બહાર કાઢી મૂક્યા એમ જાણીને કે સુકોશલની ધાવમાતા અતિશય રુદન કરવા લાગી."
I-IBITE DESIDDT)