________________
જાણો સભ્યત્વ અવી ચારિત્રનો
વારસો. જ હશે ?
શ્રી રામચન્દ્રજી આદિ જે પૂર્વજ પરંપરામાં થયા છે તેનું વર્ણન અતિરોમાંચક છે. પ્રભુશાસન આમ તો ત્યાગપ્રધાન છે જ એટલે આ શાસનને પામેલા આત્માઓને ત્યાગની નવાઈ ન હોય અને તેથી તેના મૂળમાં રહેલાં વૈરાગ્ય કે સમ્યક્ત્વની પણ નવાઈ ન હોય. પણ અહીં તો જે વાતો વાંચીએ છીએ તેમાં સમ્યક્ત્વ અને ચારિત્રનો વારસો હોય તેવું દેખાય છે.
પછી એ રાજા કીતિધવલની વાત હોય, સુકોશલની વાત હોય કે એ જ પરંપરામાં થયેલા રાજા નઘુષની વાત હોય.
જો કે સહદેવી જેવા કેટલાક આત્માઓ આશ્ચર્યરુપ હોય છે પણ એ તો મોહનું સામ્રાજ્ય જ એવુ છે કે એમાં બહુ આશ્ચર્ય ન થાય છતાંય, આ વારસાનું શ્રવણ અને એ ય કૃપાળુપરમગુરુદેવશ્રીના શબ્દોમાં મળે ત્યારે તો શું પૂછવાનું હોય ?
-શ્રી
૩૯