________________
. ભcગ-૨
સી
રામ-લક્ષમણને
કલ્યાણકર પ્રવૃત્તિની આડે કોઈ આવી શકે જ નહિ
શ્રી વજુબાહુ પણ પ્રભુશાસનને પામેલા જ છે અને એથી જ મનોરમાના સંબંધમાં ઉચિત ઉત્તર આપીને પોતાનો વિચાર હવે કોઈ પણ રીતે ભોગોને આધીન થવાનો નથી એમ જણાવી દઈને સાફ સાફ શબ્દોમાં શ્રી ઉદયસુંદરને જણાવી દે છે કે મેં કહેલા બીજા સઘળાં જ અયોગ્ય વિચારોનો ત્યાગ કરીને દીક્ષા માટે તું મને અનુમતિ આપ અને તું પણ મારો અનુયાયી થા, એટલે કે મારી સાથે
દીક્ષા અંગીકાર કર, કારણકે ક્ષત્રિયોનો એ કુલધર્મ છે કે પોતાની ૨૮, પ્રતિજ્ઞાનું નિશ્ચયપૂર્વક પાલન કરવું.'
આથી સમજાઈ જશે કે વિરક્ત આત્માઓ જો સાચા વૈરાગી બન્યા હોય, તો તેઓ પોતાની પત્ની ખાતર પોતાના વૈરાગ્યને હાનિ નથી પહોંચાડતા પણ પોતાના તે ગુણને સાર્થક કરવામાં સજ્જ રહે છે અને એમ જ વિચારે છે કે તે જો કુલીન હશે તો જરૂર મેં અંગીકાર કરેલા કલ્યાણકારી માર્ગનો આશ્રય કરશે અને પોતાનું પણ કલ્યાણ સાધશે અને જો તે અકુલીન હશે તો તેનો વિચાર કરવો એ પણ અયોગ્ય છે કારણકે કુલીન માટે જેમ ખોટાની આશા રાખવી ખોટી છે તેમ અકુલીન માટે સારાની આશા રાખવી એ પણ ખોટી છે. મોટાભાગે એવું હોવાથી વૈરાગ્યના સ્વરૂપને, ફળને અને પરિણામને જાણનારા પુણ્યાત્માઓ કદી જ પત્નીઓ ખાતર પોતાના આત્મહિતને જતું કરતા નથી, કારણકે ક્લેિશ્વરદેવોએ ફરમાવેલા એ આત્મહિતકર માર્ગનો આશ્રય કરવાથી સામાન્ય રીતે એ અનંતાનંત આત્માઓને અભયદાન મળવા સાથે જેમ વિશેષરૂપે પોતાનું હિત
થાય છે તેમ અનેક અન્ય આત્માઓનું પણ હિત થાય છે, એ જ ?િ કારણે એવા સ્વ-પરનું કલ્યાણ કરનારા માર્ગની આડે કોઈને પણ 8 આવવા દે એવી મનોદશા વૈરાગી આત્માઓની હોતી જ નથી.
અને એવી ઉત્તમ મનોદશામાં વિહરતા તે પુણ્યાત્માઓ પોતાની શુદ્ધ એટલે કે પ્રભુ માર્ગને અનુસરતી જે પ્રતિજ્ઞા, તેના પાલનની આડે કોઈપણ તુચ્છ વસ્તુને ઉભી રહેવા દેતા જ નથી, એ કારણે
2000 amTDO)