________________
ભાગ-૨
સતત
રામ-લક્ષ્મણને
મશ્કરી પણ આવી હોવી જોઈએ આ રીતે વિચારતા એ સ્પષ્ટ થઈ જાય છે કે, સજ્જ આત્માઓ પ્રથમ તો મશ્કરી કરનારા જ નથી હોતા અને કદાચ કોઈ પ્રસંગવશ તે પુણ્યાત્માઓ મશ્કરીમાં પ્રવૃત થઈ જાય છે, તો પણ તે પુણ્યાત્માઓની મશ્કરી કોઈને પણ ઉન્માર્ગે ચઢાવનારી નથી હોતી, એટલું જ નહિ પણ સન્માર્ગે ચઢાવનારી હોય છે અને તે પોતાના માટે પણ નિષ્ફળ ન જતા પરિપૂર્ણ રીતે સફળ થઈ, પોતાનો પણ સંસારસાગરથી વિસ્તાર કરનારી જ નીવડે છે અને એ વાત આગળ ચાલતાં આપણને સારામાં સારી રીતે સમજાઈ જશે.
આથી પોતાની જાતને સજ્જનમાં ખપાવવા ઈચ્છનારા પુણ્યાત્માઓએ પોતાના અંતરમાં નિશ્ચય જ કરી લેવો જોઈએ કે, આપણે કદીપણ મશ્કરીની કાર્યવાહીમાં પડવું જ ન જોઈએ અને કદાચ એવો પ્રસંગ આવી જ જાય, તો પણ એવી મશ્કરી તો પ્રાણજો પણ ન જ કરવી કે જેના પ્રતાપે પોતાના આત્માનું અકલ્યાણ થવા સાથે અન્ય આત્માઓ પણ ઉન્માર્ગના મુસાફર બની જાય, એટલે કે મશ્કરી કરવી તો પણ એવી જ કરવી કે જેથી પોતાનો આત્મા નિર્મળ થવા સાથે અન્ય આત્માઓ પણ સન્માર્ગના જ મુસાફર બને.
વિરક્ત આત્માની કેવી ઉત્તમ મનોદશા પરમવૈરાગ્ય રંગમાં ઝીલતા શ્રી વજબાહુના સુંદર સદુપદેશમાંથી ચાર વાતો પૈકીની બે વાતો તો આપણે વિચારીને સુનિશ્ચિત કરી આવ્યા અને હવે, ૩. પત્ની હોય તો તેના માટે પણ વિરક્ત આત્માની વિચારણા
શી ? અને ૪. શુદ્ધપ્રતિજ્ઞાના પાલનની સામે કોઈપણ વસ્તુ ઉભી રહી શકે
છે યા કેમ?
આ બે વાતો આપણે વિસ્તારથી વિચારવાની રહી છે. તો હવે હું આપણે જોઈએ કે પત્ની હોય તો પણ વિરક્ત આત્માની વિચારણા
હશી હોય છે?