Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
પરિશિષ્ટ ૨]
ગુજરાતમાં મરાઠી સત્તાના પ્રારલ...
[૧૭૭
(ઑકટોબર ૩, ૧૬૭૦) અને શહેરને ત્રણ દિવસ સુધી લૂટયું. સુરતની દક્ષિણે આવેલા પારનેરા અને બાગલાણ જેવા નાના કિલ્લા પણ ૧૬૭ર માં કબજે કર્યાં. એ પછીના સમયમાં ગુજરાતમાં મરાઠાઓના પ્રવેશ ખૂબ સરળ બન્યા. એમને અટકાવવા માટે ગુજરાતને સૂબેદાર કે સુરતને ફાદાર સમર્થ ન હતા, ૧૬૭૫ માં મરાઠાઓએ પ્રથમ વાર જ નદા ઓળંગી, ટૂંક સમયમાં તેઓએ ગુજરાત અને દખ્ખણ સરહદે અને અન્ય મહત્ત્વના માર્ગો પર એવા અંકુશ સ્થાપી દીધા કે તેઓ ત્યાંથી પોતાની સેનાને સહીસલામત રીતે ગુજરાતના જુદા જુદા પ્રદેશા પર હલ્લા કરવા મેકલી શકતા. તેઓએ આ રીતે ધણા હલ્લા કરાવ્યા. આમ છતાં ૧૬૯૯ સુધી એમનેા ગુજરાત સાથેના સંબંધ વ્યવસ્થિત ધારણે સ્થપાયા ન હતા.
૧૬૯૯ માં સતારાના છત્રપતિ મહારાજા રાજારામે (૧૬૮૯–૧૭૦૦ ) પોતાના વિશ્વાસુ અધિકારીએ માંના એક ખ`ડેરાવ દાભાર્ડને બાગલાણમાં ચેાથ અને સરદેશમુખી ઉધરાવવા માટે નીમ્યા. દાભાડેએ બાગલાણ ઉપરાંત સુરત જિલ્લામાંથી પશુ આ કર વસૂલ કર્યાં. ૧૭૦૩ માં મરાઠાએએ સુરત પર ચડાઈ કરી ભારે લૂંટ મેળવી, એની માહિતી સુરતની અંગ્રેજ કાઠીના અધ્યક્ષના હેવાલમાં જોવા મળે છે. ૪ ૧૭૦૫ માં ખંડેરાવ દાભાડેએ મેાટી ફાજ સાથે ન`દા પાર કરી અને એ મુઘલ સૈન્યેાને હરાવ્યાં. એ પછી એણે બુરહાનપુરમાં પોતાની ટુકડી કાયમ માટે રાખી અને સૌરાષ્ટ્રમાં સારડ સુધી ચડાઈ કરી. એને દામાજીરાવ ગાયકવાડની મુખ્ય મદદ મળી હતી.પ
૧૭૦૬ માં ધનાજી જાદવની આગેવાની નીચે ભરાઠાઓનુ મેટુ લશ્કર દક્ષિણ ગુજરાત પર ચડી આવ્યું. એ સમયે ગુજરાતને સખેદાર શાહજાદા આઝમશાહ ( ૧૭૦૧–૧૭૦૫) ઔર'ગઝેબની માંદગીના સમાચાર મળતાં એકાએક દિલ્હી ગયા હતા અને ગુજરાતના રક્ષણની જવાબદારી એના નાયબ મેદાર હમીદખાનને સાંપતા ગયા હતા. મરાઠાઓના સામના કરવાના હમીદખાનના પ્રયાસ નિષ્ફળ ગયા, એટલું જ નહિ, પણ એ પોતે તથા સફદરખાન ખાખી નઝરઅલીખાન વગેરે પણ મરાઠાઓના કેદી બન્યા. એમને છેડાવવા માટે મેાટી રકમ મરાઠાઓને આપવામાં આવી હતી.ક
ઉત્તર ગુજરાત પર આક્રમણ કર્યું. ધનાજી જાદવ એક બહાર રાકાયેલા હતા તે દરમ્યાન બાલાજી વિશ્વનાથે
ઔરંગઝેબના અવસાન (૧૭૦૭) પછી થાડા સમયમાં જ મરાઠાઓએ વર્ષી સુધી અન્યત્ર ગુજરાત માળવામાં થઈને પૂવ
૪-૬-૧૨