Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
:૨૩૬]
સુઘલ કાલ
[*. }}*
મારા મતે ટંકશાળ નામને ઉચ્ચાર ‘જેતપુર' કે ‘જેતપૂર' કે ‘જય્યતપૂર’ નહિ, પણ ‘જેતપર’ છે, જે.આ શહેરના પ્રચલિત સૌરાષ્ટ્રી ઉચ્ચાર છે. શ્રી. સિંધલે જેતપુરને અદ્યતન રજવાડુ' ગણ્યુ` છે, પણ ટંકશાળ હેવી કે ન હોવી એ મુદ્દા અંગે રજવાડું નહિ, પણ શહેર અદ્યતન કે પુરાતન છે એ જોવુ જોઈએ, એટલે અત્યાર પૂરતું તેા આ ટંકશાળ હાલ રાજકોટ જિલ્લામાં આવેલ જેતપુર શહેરમાં હતી એમ માનવું રહ્યું.
આ ટંકશાળને માત્ર ઉપર જણાવેલા એક જ સિક્કો નોંધાયા હોઈ એ સ્પષ્ટત: અતિદુર્લભ છે. આ સિક્કો અહમદશાહના રાજ્યકાલના સાતમાં વર્ષોમાં ટકાયેલા હતા અને ભાતમાં એટલે કે લખાણ અને ગાઠવણ વગેરે બાબતેમાં એતા અમદાવાદ ખભાત અને સુરતમાંથી બહાર પડેલા સિક્કા જેવા છે.
૧૦, ભરૂચ
ભરૂચમાં ઈ.સ. ૧૭૪૮ માં ત્યાંના ખીન્ન નવાબ તેકઆલમખાન ૨ જાએ સુધલ બાદશાહ અહમદશાહ ૨ જાની ટંકશાળ ચાલુ કરી હાવાનુ` કહેવાય છે,૪૧ પણ એ બાદશાહના ત્યાંથી બહાર પડેલા સિક્કો હજુ સુધી મળ્યા નથી. આલમગીર ૨ જાતે ભરૂચના ચાંદીના સિક્કો રેવ. ટેલર પાસે હાવાનું કહેવાય છે, પણ એનું વન કા જગ્યાએ પ્રકાશિત થયુ હોવાની માહિતી નથી, એટલે એની ભાત વગેરે વિશે કંઈ કહેવું શકય નથી. છતાં એના અમદાવાદ સુરત અને ખંભાતના જે ડઝનેક ચાંદીના સિક્કા મળ્યા છે તે બધા એના ગદ્ય લખાણ-સિક્કા એ મુવાર% આમીર વારશાદ નાની-( આલમગીર બાદશાહ ગાજીના શુભ સિક્કો ) વગેરે વાળા હાઇ ભરૂચના સિક્કો પણ એ ભાતના હાય એ વધુ બનવાજોગ છે.
આલમગીર ૨ જાના અનુગામીઓમાં માત્ર શાહઆલમ ૨ જાના અહીં ટકાયેલા ચાંદીના સિક્કા નાંધાયા છે, જે તેક આલમખાન ૨ જા તરફથી બહાર પાડવામાં આવ્યાનું કહેવાય છે.૪૨ ઈ.સ. ૧૭૭૨ માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ભરૂચ કબજે કર્યુ. એ પછી એણે મુઘલ બાદશાહના નામના એ જ પ્રકારના સિક્કા અહી થી બડ઼ાર પાડવા ચાલુ રાખ્યા, કયા સિક્કો કયા નવાન તરફથી અને કયા સિક્કો કંપની તરફથી ટંકાયેા હતેા એ અંકિત વષ ઉપરાંત એનાં પૃથક્ ટંકશાળચિહ્નો પરથી નિશ્ચિંત થાય છે.
ભરૂચના શાહઆલમ ૨ જાના સિક્કા લખાણ વગેરેમાં એના સુરતના સિક્કાએ જેવા છે, પણ ભરૂચના સિક્કા કદમાં નાના જાડા અને સુલેખનની દૃષ્ટિએ ઊતરતી કક્ષાના છે અને વળી સિક્કાના કપ્પા મોટા હોવાથી અને