Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૧૯૬]
અન્ય કમ ચારીઓ
પ્રાંતના બક્ષીના પદ સાથે રાજકીય ખબર નિવેદકનું પદ પણ સ`મિલિત કરવામાં આવ્યું હતું. મુધલ દરબારના બક્ષીના કાર્યાલયમાંથી પ્રાંત માટે ચાર બક્ષી અને કેટલાક વકાએનવીસ ( ખાર-નિવેદક ) નીમવામાં આવતા હતા. બક્ષી પેાતાના ખબરપત્રીને નાઝિમ દીવાન ફેાજદાર ન્યાય-અદાલત અને પેાલીસનાં કાર્યાલયેામાં રાખતા. એ ખબરપત્રી કાર્યાલયમાં બનતા રાજબરોજના બનાવાના તથા સરકારી કરે અને સરકારી વિભાગેાની કામગીરીનેા અહેવાલ મેાકલતા, પરંતુ કેટલીક વાર આવા ગુપ્ત રાજકીય ખબર–નિવેદકા અને સૂબેદાર ફાજદાર તથા એમના કાર્યાલયના કમ ચારીઓ વચ્ચે સંધ થતા, તેથી દ્વેષયુક્ત અહેવાલે રજૂ થતા. એ માટે સવાનેહ-નવીસ અથવા ખુક્રિયા-નવીસ નામના જુદા પ્રકારના ગુપ્તચરા બધાં મહત્ત્વનાં સ્થળેાએ રહેતા અને માત્ર સરકારી અધિકારીઓ વિશેની નહિ, પણ ખીજા બનાવે વિશેની માહિતી પણ કેંદ્રમાં સીધી મેકલતા સમય જતાં સવાનેહ-નવીસે પણ વક્રાએનવીસાની જેમ સમાંતર ખબરપત્રીનું જૂથ બની જતાં, હરકારહ નામની એક બીજી જાસૂસી સેવાનુ તંત્ર ઊભું કરવું પડયું હતું. ૧૩
મુઘલ કાલ
[31.
પ્રાંત સરકારના કેન્દ્ર સાથેના સંબંધ
પ્રાંતીય સત્તાવાળાઓ પર કેંદ્ર સરકારના સૈદ્ધાંતિક અને વ્યવહારુ અંકુશ હતા. સૂબેદાર અને એના મંત્રીઓનાં કાર્યોનું નિરીક્ષણ કરવા અને એમના પર અંકુશ રાખવા કેંદ્ર સરકારે કેટલીક પદ્ધતિએ શેાધી હતી. સૂબેદારને એક જ પ્રાંતમાં લાંબા સમય સુધી રહેવા દેવામાં આવતા નહિ, એમની બદલી વાર વાર કરવામાં આવતી. સૂબેદારની જુલની નિષ્કાળજી કે બિનકાર્યક્ષમ પદ્ધતિઓની જાણુ બાદશાહને થતાં એની બદલી તરતજ કરવામાં આવતી. ખીજો અસરકારક અંકુશ જાસૂસી ખાતા દ્વારા હતા. ત્રીજો અંકુશ અગાઉ વણુ વાયેલ એ પ્રકારની વહીવટી વ્યવસ્થાને હતા, જે પ્રાતના સૂબેદાર અને એના મંત્રીમંડળ પર અંકુશ રાખતી. ગુપ્ત ખખપત્રીએ અને હરકારહ ખબરપત્રીએથી સૂમેદાર સાવચેત રહી ડરતા. ચેાથે। અંકુશ બાદશાહની અવારનવાર લેવાતી પ્રાંતની મુલાકાત દ્વારા રાખવામાં આવતા. આવી શાહી મુલાકાત દરમ્યાન ખાદશાહા ખેડૂતવર્ગોનાં દુ:ખ ફરિયાદા તકલીફો વગેરે સાંભળતા અને એના નિવારણ માટે તત્કાલ હુકમેા કરતા. બાદશાહને એમની મુલાકાત દરમ્યાન સુધારા કરવાનું યેાગ્ય લાગે તા તેઓ એ માટે સ્થળ પર જ આદેશ આપતા. રાજા ટોડરમલને ગુજરાત પ્રાંતમાં પ્રવતતાં અનિષ્ટ દૂર કરી મહેસૂલી જમાબંધી ીથી ગોઠવવા હુકમ આપવામાં આવ્યા હતા.૧૪
23