Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
રાખ્યતત્ર
(૨૧૧
મુઘલ શાસકોએ પિતાની પ્રજાને ખરેખર ઉપયોગી નીવડે તેવાં બાંધકામ પણ કરાવ્યાં. એમાં કૂવા તળાવ કુડે પુલ નહેરો બગીચા વાવ બંધ ઓવારા સ્નાનઘાટો સ્નાનગૃહ ધર્મશાળાઓ અને આરામગૃહો જાહેર-રસોડા માર્ગો હોસ્પિટલો મંદિરો મસિજદો વગેરેનો સમાવેશ થતો. જુદા જુદા મુઘલ શાસકોએ, એમના સૂબેદારોએ, ઉમરાવોએ અને અમીરોએ આવા પ્રકારનાં બાંધકામ ત્યાં ત્યાં કરાવ્યાં હતાં. પાલ
મુઘલ સમયમાં સરકારી ટપાલની સાથે સાથે ખાનગી ટપાલ પણ એવી જ સગવડ નિયમિતતા અને ઝડપથી લઈ જવાતી. સરકારી ટપાલ માટે તંત્ર ઘણું વિસ્તૃત હતું. સરકારી ફરમાન અને સંદેશા હલકારાઓ મારફતે મેકલાતા અને
સ્થાનિક પોલીસ અમલદારોને પોતપોતાના અધિકારવાળા પ્રદેશમાં હલકારાઓ સાથે ચેકિયાતો મોકલવાના હુકમ પત્ર દ્વારા આપવામાં આવતા.
ટપાલ માટે બે પ્રકારની વ્યવસ્થા હતી: ભારે અને વજનદાર ટપાલ ઝડપી ઘેડાવાળી ગાડીમાં લઈ જવાતી. આઠ માઈલના અંતરે ઝડપી ઘેડા અને ટપાલનાં અન્ય જરૂરી સાધના માર્ગ પર આવેલાં આરામગૃહમાં તૈયાર રખાતાં, જેથી બહારથી આવેલ ટપાલ એમાં સત્વર બદલી નાખી વિના વિલંબે આગળ લઈ જવાતી. બીજી વ્યવસ્થા હતી ખેપિયાની, જે એક દિવસમાં ઘડા જેટલી ઝડપે દોડતા અને નિયત અંતરે ટપાલ પહોંચાડતા. આવા ખેપિયાને “પથમાર અથવા પટમાર' કહેવામાં આવતો. સરકારી ખેપિયાઓ સાથે ખાનગી લે પણ પિતાની ટપાલ મોકલતા. દુકાળ-વીએ અને ગરીબ માટે સહાય
અકબરે દુકાળ-ધીમે અને ગરીઓ માટે સહાય અંગે દરેક જગ્યાએ અનાજ-ભંડારો સ્થાપી કાયમી પગલાં લીધાં હતાં. આવા અનાજ-ભંડાર દહશેરી વેરામાંથી ઊભા કરવામાં આવતા. ખેડાણ થયેલી જમીનના વીઘા દીઠ દસ શેર અનાજ વેરા તરીકે સરકાર લેતી અને એવું ઉઘરાવેલું અનાજ પ્રત્યેક જિલ્લામાં ખાસ બાંધવામાં આવેલી અનાજની વખારમાં રાખવામાં આવતું. આવા ભંડારના ઘણું હેતુ હતા. એ ભંડારમાંથી સરકારી પશુધન, જેને માટે ખુલ્લા બજારમાંથી ખરીદ થતી નહિ, તેને માટે અનાજ લેવામાં આવતું. વાવણી માટે ગરીબ ખેડૂતો અહીંથી બિયારણ મેળવતા. દુષ્કાળના સમયમાં ગરીબ લેકે સસ્તા ભાવે અનાજ વેચાતું લઈ શકતા. આ ઉપરાંત અકબરે સામ્રાજ્યભરમાં