Book Title: Dharmanubandhi Vishva Darshan Part 01
Author(s): Nemichandra Muni, Dulerai Mataliya
Publisher: Mahavir Sahitya Prakashan Mandir
View full book text
________________ લાગુ કરવું પડશે. વ્યક્તિ વ્યક્તિ વચ્ચે કે સમૂહ સમૂહ વચ્ચે મિત્રી સધાય છે તેવી જ રીતે એક બીજા દેશો એક બીજા વચ્ચે મિત્રી કેળવે; એક બીજાના પૂરક બને, સહાયક બને તે મંત્રી ચિર-સ્થાયી બને. અમેરિકા અને રશિયા વચ્ચે આજે અથડામણ ચાલે છે. તેનું મૂળ કારણ તપાસી બને દેશે; શાંતિથી જીવવું અને જીવવા દેવું, એમ વિચારે તે વિશ્વમૈત્રી સાધી શકાય. આ માટે ભારતે હમેશાં પ્રેરણું આપી છે અને હજુ પણ આપે છે. એનું કારણ એ છે કે અહીં “જીવો અને જીવવા દો”ની ભાવના લોકોમાં ઊંડાણથી પ્રવેશી છે. કોઈ વખત કોઈ ભારતવાસીએ પરદેશ જઈને આક્રમણ કર્યું એને એક પણ દાખલો મળતો નથી. અહીં જરૂર પરસ્પરમાં ન્યાય, નીતિ કે ધર્મની રક્ષા નિમિત્ત યુદ્ધો થયાં; વિદેશીઓએ આક્રમણ કર્યું તે જરૂર લડત આપી; પણ રાજ્ય લાલસા માટે અહીં યુદ્ધોને ઉત્તેજન ઓછું મળ્યું છે. રામનું રાવણ સાથેનું યુદ્ધ કે પાંડવોનું કૌરવો સાથેનું યુદ્ધ ન્યાય, નીતિ અને સંસ્કૃતિની રક્ષા નિમિત્તે હતું. એમ પણ કહી શકાય કે મહાભારતનું યુદ્ધ તો પરસ્પરના સહઅસ્તિત્વને સ્વીકારવા માટે જ હતું. આ બધાની વિશેષતા એ હતી કે આ યુદ્ધો થયાં બાદ કોઈએ વિજેતા પક્ષે સંહારલીલાની પ્રશંસા કરી નથી. મૈત્રીભાવ કેળવવા માટે એક તરફ જ્યાં સમસ્ત નાના છો તરફ તેને પ્રગટાવવી જરૂરી છે તેવી જ રીતે બીજી તરફ સમાજથી લઈને રાષ્ટ્ર અને સમષ્ટિ સુધી તેને પ્રગટાવવી જોઈએ. , આ ભાવ પ્રગટ કરવા માટે સર્વ પ્રથમ તો દરેકના જીવનના અસ્તિત્વનો સ્વીકાર કરી; તેનામાં પિતાના જેવી આત્મીયતા નિહાળવી જરૂરી છે. એ આત્મીયતા જ જગતના પ્રતિ આત્મવેત્ મિત્રી પ્રગટાવશે. અમેદભાવના : સારી સંસ્થા દ્વારા ઉચ્ચ ઘડર પામેલી વ્યકિત, -ગુણીજને, સત્ય-અહિંસાની દિશામાં પુરૂષાર્થ કરનારી સંસ્થાઓની પ્રશંસા P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust