Book Title: Dharmanubandhi Vishva Darshan Part 01
Author(s): Nemichandra Muni, Dulerai Mataliya
Publisher: Mahavir Sahitya Prakashan Mandir
View full book text
________________ 10 બે જુદી જુદી મર્યાદાઓ દોરવામાં આવી છે પણ બન્નેનું ધ્યેય તે સંપૂર્ણ વિશ્વ વાત્સલ્ય પ્રગટાવવામાં રહેલું છે. ' . . . . હવે આ વિશ્વ વાત્સલ્ય વહેવડાવવું તે કઈ રીતે? કારણકે આ જગતમાં બધા એક શ્રેણિના લોકો નથી અને પ્રાણીઓ પણ અલગ અલગ શ્રેણિના છે. જ્યાં ગાય જેવું કોમળ પ્રાણું છે ત્યાં સિંહ જેવું હિંસક પ્રાણી પણ છે. અનુકૂળ માનવ, સમાજ અને રાષ્ટ્ર છે ત્યાં પ્રતિકૂળ માનવ, સમાજ અને રાષ્ટ્ર પણ છે. અમુક લોકો સજજન છે; સત્ય અને અહિંસાની દિશામાં આગળ વધેલા છે, ત્યારે બીજા દુર્જન : પણ છે; અસત્ય અને હિંસાની દિશામાં આગળ વધેલા છે. સુખી છે અને દુઃખી પણ છે; શાસક પણ છે અને શેષિત પણ છે. પીડિત, દલિત અને પછાત પણ છે ત્યાં મુક્ત, સ્વતંત્ર અને આગળ વધેલા પણ છે. કેટલાક પ્રેમભાવ રાખે છે તો કેટલાક ઉદાસીન પણ છે. આ બધા સાથે કેવી રીતે એકસરખું અને સક્રિય વાત્સલ્ય સાધી શકાય ? આ એક વિચારણીય પ્રશ્ન છે. . આ અંગે જૈનદર્શન, બૌદ્ધદર્શન અને યોગદર્શને ચાર ભાવનાઓ બતાવી છે. શબ્દના ફેરફાર સિવાય દરેકને ભાવ લગભગ એક જ પ્રકારનું છે. જૈનદર્શન પ્રમાણે ચારે આ પ્રમાણે છે –મિત્રી, પ્રમોદ, કાર્ય અને માધ્ય. ઉચ્ચકોટિના સાધકે વિશ્વ વાત્સલ્ય પ્રગટાવવા માટે આ ચારે ય ભાવના કેળવવી જોઈએ, એમ જૈનદર્શન કહે છે. માતા જેમ બાળક પ્રત્યે સ્નેહમય વર્તાવ રાખે એવી જ રીતે આ ચારે ય ભાવનાને જીવનમાં સક્રિય રીતે ઉતારી: સમસ્ત જીવો સાથે પ્રેમમય વહેવાર કરવાનું બૌદ્ધદર્શન સૂચવે છે. ત્યાં આ ચારે ભાવનાને બ્રહ્મવિહાર " એવું નામ આપવામાં આવેલ છે. ગદર્શન એ ચારે ભાવનાઓને ચિત્તશુદ્ધિનું (ચિત્તની પ્રસન્નતાનું) કારણ માને છે. આમ દરેક દર્શને તેમની ઉપયોગિતાને સ્વીકાર કરેલો છે. - અમિતગતિ સૂરિજીએ સામાયિક પાઠમાં એક લોક વડે આ ભાવનાને સ્પષ્ટ કરી છે - .P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust