Book Title: Dharmanubandhi Vishva Darshan Part 01
Author(s): Nemichandra Muni, Dulerai Mataliya
Publisher: Mahavir Sahitya Prakashan Mandir
View full book text
________________ सत्त्वेषु मैत्री; गुटिषु प्रमोदं, किलप्टेषु जीवेषु कृपापरत्वम् माध्यस्थाभावं विपरीतवृत्तौ सदा ममात्मा विद् धातुदेव! ' “હે દેવ ! આ મારો આત્મા પ્રાણીભાગ સાથે મૈત્રી રાખે,. ગુણીજને સાથે અમેદભાવ રાખે; દુઃખી છો ઉપર કરૂણાભાવ રાખે અને વિપરીત કે અનિષ્ટ આચરણ કરનારાઓ પ્રત્યે માધ્યસ્થ ભાવ: (સમભાવ) હમેશાં રાખે. આ ચારને નવેસરથી અર્થે વિચારવા પડશે. એક માતા હમેશાં પોતાના બાળક પ્રત્યે પ્રેમ રાખે છે, તે સારું કામ કરીને આવે ત્યારે. તેને શાબાશી આપે છે, તે દુઃખમાં હોય તો તેના પ્રત્યે કરૂણા દાખવી તેનું દુઃખ દૂર કરે છે. તે પેટે માર્ગે જાય કે ખરાબ આચરણ કરે તો તેને ઠપકો આપે છે અથવા અસહકાર કરે અગર તો મૌન રહે છે; પણ, આ ચારેય પરિસ્થિતિઓમાં માતાના હૃદયમાં બાળક પ્રત્યે વાત્સલ્યનું ઝરણું તો વહેતું જ હોય છે. તેવી જ રીતે વિશ્વ વાત્સલ્યને સાધક પણ ચારેય પરિસ્થિતિમાં સમસ્ત વિશ્વ પ્રત્યે વાત્સલ્ય તે વહેવડાવતો જ રહે છે. મિત્રી ભાવના:-સર્વ પ્રથમ મૈત્રી ભાવ આવે છે. વિશ્વ વાત્સલ્યના સાધકની મૈત્રી પોતાની આસપાસના લોકો સુધી જ નથી રહેતી પણ તેણે વ્યક્તિ, સમાજ અને સમષ્ટિ સુધી એને વિકાસ કરવો પડશે. એટલે જ “મિત્તીને સદ મૂસુ” અર્થાત્ સર્વે જીવો સાથે મારી મૈત્રી થાય” એમ કહ્યું છે. બીજા છ કરતાં માનવ વધારે વિચારશીલ, બુદ્ધિવાન અને જ્ઞાનવાન છે. તે સમાજ વ્યવસ્થા સાચવી શકે છે એટલે તેની જવાબદારી. બીજા છ કરતાં વધારે છે. મૈત્રીભાવ પ્રગટાવવા માટે તેણે “જી અને જીવવા દો !" નું સત્ર અપનાવવું પડશે. પોતે જીવે અને બીજા પણ જીવે એ સહઅસ્તિત્વના સિદ્ધાંત એને વ્યાપક રૂપે રાષ્ટ્ર, સમાજ, જ્ઞાતિ, ધર્મ કે માનવ નીમિત અન્ય સંસ્થાઓ સાથે પણ, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust