Book Title: Dharmanubandhi Vishva Darshan Part 01
Author(s): Nemichandra Muni, Dulerai Mataliya
Publisher: Mahavir Sahitya Prakashan Mandir
View full book text
________________ 9 Co. શ્રી ગડદ કચ્છી ફી (સેદલ૯. એક, ઇ-૩ વિશ્વવાત્સલ્યની સાધના માનવા માટે સરળ બની શકે છે. ત્યારે માનવ ઘર, સમાજ, રાષ્ટ્રના પણ સંકુચિત દાયરામાંથી બહાર આવી સમષ્ટિ પ્રતિ પિતાને વાત્સલ્યભાવ કેળવે છે. ભગવાન મહાવીરે કર સવા ચંડકૌશિક પ્રતિ વાત્સલ્ય વહેવડાવ્યું હતું. શિબિરાજાએ પારેવાં માટે વાત્સલ્ય વહેવડાવ્યું હતું. કેટલાક મુસલમાન સંતોએ પિતાના શરીરમાં કીડા સળવળે તે એ તેમને ન મારી તેમના પ્રતિ વાત્સલ્ય પ્રગટ કર્યું હતું. આમ વિવવાન્સલ્ય “આત્મવત સર્વ ભૂતેષુ ”ની સંપૂર્ણ કેળવણીનું પ્રતીક બનીને ઊભું રહે છે. ભગવાન મહાવીર માટે જૈન શાસ્ત્રોમાં “જગવચ્છલ” (વિશ્વવત્સલ) વિશે પણ રૂપે આવે છે. જૈન ધર્મમાં સમ્યક–દર્શનના આઠ અંગેમાં “વચ્છલ ને પણ સ્થાન આપવામાં આવેલ છે. સદ્દષ્ટિ ગૃહસ્થ શ્રાવકની ગણના ચોથા ગુણસ્થાનક (જૈન ધર્મની વિકાસ પદ્ધતિથી કરવામાં આવેલ છે ત્યાંથી ચૌદમાં ગુણસ્થાનક સુધી એટલે કે સંપૂર્ણ કેવળીની દશા સુધી સમ્યક્દર્શનનું હોવું જરૂરી છે. એટલે કે ગૃહસ્થ માટે સમ્યક્દર્શન અને તેની રૂએ વાત્સલ્ય હોવું જરૂરી છે. ગૃહસ્થોના વાત્સલ્યને “સાહસ્મિય વક્ત” એટલે કે સાધમ વાત્સલ્ય ગણવામાં આવેલ છે. આજે જે કે સંપ્રદાયવાદને કારણે સહુ તેને પિતાના સંપ્રદાય સુધી ગણે છે પણ તેને ખરે અર્થ તો “સંઘ વાત્સલ્ય " થાય છે. આજની ભાષામાં તેને “સમાજ વાત્સલ્ય” પણ કહી શકાય અને એ જ અર્થ બંધબેસતો છે. કારણકે સાધર્મોને અર્થ સમાનધર્મી થાય છે. મનુષ્ય સમાનધમાં માનવ છે એટલે સમાજવાત્સલ્ય અને સ્પષ્ટાર્થ થાય છે. એના વિકાસ રૂપે વિશ્વાત્સલ્ય કેળવવું ઉચ્ચ સાધકો (સાધુઓ) માટે આવશ્યક ગણાયું છે કારણકે જૈન સાધવર્ગને છ કાયાના મા–બાપ કહ્યા છે. આ ત્યારે જ થઈ શકે જ્યારે વિશ્વ-વાત્સલ્ય કેળવવામાં આવે. એ માટે ગૃહર પૂરતી મર્યાદા સાધમાં–વાત્સલ્ય સુધી આંકવામાં આવી અને સાધુઓ માટે તેને - સમષ્ટિ સુધી લંબાવવામાં આવી. વિકાસક્રમના ભેદે અહીં વાત્સલ્યની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust