________________
૩ર. સ્વરૂપથી ધર્મનું લક્ષણ
[૨૫૯
પાંદડાં, લાકડા વગેરે પણ બાળવા આદિ માટે જરુરી; પરંતુ આ વાંકાવાંકા મૂળિયાં, બીનજરૂરી છે. ખાવા-પીવા-પાટડામાં તેરણમાં મૂળિયાં કામ ન લાગે, માટે તેને કાપી નાંખે તે નકામું પાણી પી જઈ જમીનને રસકસ ખેંચી લે છે! માટે મૂળિયાં કાપી નાંખે વ્યવહારમાં ઉપયોગી તરીકે કેરી, માંજર, પાંદડાં, ડાળી વગેરે જ છે, એ વાત ખરી? પણ મૂળિયાં વગર ફળાદિક ન મળે. ઉપગ કેરી વગેરેને થાય. મૂળિયાં કશા કામના નથી, છતાં બધાને આધાર મૂળિયાં જ છે. મૂળિયાં આધારે જ ડાળી, પાંદડાં, માંજર, કેરી વગેરે છે.
જેમ વ્યવહાર-પ્રવૃત્તિથી મૂળિયાં કશા કામ ન લાગે પરંતુ બધાને આધાર મૂળિયાં ઉપર છે, તેમ ધમ સીધે ખાવા-પીવા-ઓઢવા -રહેઠાણમાં કામ નથી લાગતું; પણ ભેજન બધાને કેમ નથી મળતું ? તે કહે. કેટલાકને ખાવાપીવાનું-મકાન-વસ્ત્રો વગેરે બીલકુલ નથી મળતાં તેનું કારણ શું? કહેવું પડશે કે પૂર્વ પૂણ્ય કરેલાને સાધને મળ્યાં છે, પૂણ્ય નથી કર્યું તેને સાધને નથી મળ્યાં. આથી નક્કી થશે કે-આ બધાની જડ ધર્મ છે, માટે કંચન-કામિની આદિ કરતાં ક્રોડગણે કિંમતી પદાર્થ ધર્મ છે.
| કિંમતી વસ્તુની નકલ ઘણું હેય આ ધર્મ જરૂરી છે, એમ નક્કી કર્યા પછી સમજવાનું કે કિંમતી પદાર્થો લેવા જાવ તે પ્રથમ સાવચેત થવું જોઈએ. ધૂળ લેવાવાળીને રાખડો લેવા જતાં સાવચેતી રાખવી પડે છે. ધૂળની નકલ કઈ કરતું નથી ધૂળ, ઢા, તાંબાવાળાને નકલથી સાવચેત રહેવાનું હોતું નથી.
સોના-ચાંદી, હીરા–મતી લેવા જવાવાળાને કલઈ-પિત્તળ, ઈમીટેશન કલચરથી સાવચેત રહેવું પડે છે. કિંમતી પદાર્થો નકલીથી વીંટાએલા હોય છે. તેથી જ કાપડ-દવા વગેરેમાં ટ્રેડમાર્ક કરવા પડે છે. કિંમતી વસ્તુની નકલ વધારે હેય. નાળીયેરનું ટેપરું અંદર હોય. બહાર ટેપરું કેમ ન ઉગાડયું? ફળ છેતરાં-છેડાં સાથે વીંટરાએલું હોય છે, તેમ કિંમતી પદાર્થ નકલીથી વીંટરાયેલું હોય છે. લેવાવાળાએ નકલીથી સાવચેતી રાખવી જોઈએ.