________________
સ્પષ્ટીકરણ “આ લડત અંગ્રેજનું રાજ્ય ઉથલાવવા માટે છે એવું કઈ કહેતું હોય તે તેને એકકલ જ નથી. જે વખતે અમે હિંદુસ્તાન દેશમાં લડી મરીએ છીએ તે વખતે અમે રાજ્ય લઈએ તે પણ ભાગોળે જઈને પાછું આપવું પડે.” આપી મ લડતની તૈયારી ચાલી રહી હતી ત્યારે સરકાર સાથે - પત્રવ્યવહાર પણ ચાલી રહ્યો હતો. ગમે ત્યારે, ગમે તે દશાએ, સરકાર સુલેહ કરવાને તૈયાર હોય તો આપણે તૈયાર હોવું જોઈએ એ જ મનોદશા શ્રી. વલ્લભભાઈએ આખી લડત દરમ્યાન રાખી અને સરકારની કોઈ પણ રીતે ગેરસમજ ન થાય એ વખતોવખત સ્પષ્ટ કરવાની તેમણે તક લીધી.
તા. ૬ ઠ્ઠી ફેબ્રુઆરીએ લખેલા કાગળને જવાબ આખરે ૧૭મી ફેબ્રુઆરીએ આવ્યું. આમાં ફરી જણાવવામાં આવ્યું : “નવી જમાબંધીને મંજૂરી આપતાં સરકારી ઠરાવમાં કહેલું છે કે બીજી જમાબંધી સુધીનાં વર્ષોમાં આ તાલુકાનો ઇતિહાસ સતત વધતી જતી આબાદીનો હશે એ કથનને નામદાર ગવર્નર તો ભારપૂર્વક વળગી રહે છે. છેલ્લાં ત્રીસ વર્ષને બારડોલી અને ચોર્યાસી તાલુકાનો ઇતિહાસ આ આગાહીનું પૂરતું સમર્થન કરે છે.” આ આગાહી કરવી મહેસૂલ લેનારને માટે કેટલી સહેલી અને અનુકૂળ છે! આ પછી બીજું એક વચન શ્રી. જયકરને પ્રમાણપત્ર આપનારું હતું : “રેવન્યુ ખાતાના અનુભવી અમલદાર
૫૧.