________________
આપી ન્યાયાધીશ બન્ય એક પઠાણુ મીઠું ચેરતાં પકડાયો હતો એમ કહેવામાં આવે છે ત્યારે ખબરખાતાનો અમલદાર ન્યાયાધીશ બની કહે છેઃ પોલીસને જણાયું છે કે આ કેસ ખોટા કેસોમાં જ ગણવો જોઈએ.” જ્યારે કહેવામાં આવે છે કે એક પઠાણે એક સત્યાગ્રહીની ઉપર છરી લઈને હુમલો કર્યો હતો ત્યારે પઠાણે છરી સાથે હુમલો કર્યો હતો એ વાતનો ઇનકાર નથી કરવામાં આવતા, પણ એમ કહેવામાં આવે છે કે તેણે કાંઈ છરી ભોકવાને માટે હુમલે નહોતો કર્યો ! પઠાણોના ગેરવર્તનનો લાંબો બચાવ કરવામાં આવે છે તેમાં પઠાણ કૂવા ઉપર નાગો ઊભો હતો એ વાતનો ઇનકાર નથી કરવામાં આવતો પણ પઠાણનો હેતુ મલિન નહોતો એમ કહેવામાં આવે છે! અને એક પઠાણે એક ભેંસને મારી મારીને જીવ લીધે એ આપને તો ખબરખાતું ગળી જાય છે. ગમે તેમ છે, પણ આટલા બચાવ પછી પણ એ નમૂનેદાર પઠાણોને તુરત ખસેડવાનો હુકમ થયો. પણ સીંદરી બળે પણ સીંદરીને વળ નહિ બળે, એટલે ગવર્નરે પોતાના એક કાગળમાં પઠાણાને ખેંચી લેવાનું કારણ લોકમતને માન આપવાનું બતાવ્યું, જ્યારે સરકારી ખબરખાતાએ લખ્યું : હવે વરસાદની મોસમ શરૂ થઈ એટલે પઠાણની જરૂર છેડી જ રહેવાનો સંભવ છે! બીજા એક કાગળમાં સરકારે જણાવ્યુંઃ વાણિયા પઠાણોને ચોકીદાર તરીકે રાખે છે તેની સામે કેમ કોઈ કાંઈ કહેતું નથી, અને સરકાર રાખે તેમાં શું દેષ? કેમ જાણે એક ગુને બીજાને ઢાંકી શકતો હોય ! વળી વાણિયા કે બીજા કોઈ પઠાણોને રાખે તે લોકોને નથી ખૂંચતું એમ સરકારે શી રીતે જાણેલું ?
સરકારના ખબરખાતાએ “યંગ ઇડિયા’ના મારા એક બીજા લેખન બહુ સવિસ્તર જવાબ આપવાનો પ્રયત્ન કર્યો હતો. એ જવાબમાં પણ અહીં ન ઊતરું કારણ એ તો બારડોલીમાં મહેસૂલવધારે કેમ ખોટો છે એ વિષે લોકોનો પક્ષ રજૂ કર્યો હતો તેને જવાબ હતો, અને એમાંની ઘણું દલીલે પ્રથમનાં પ્રકરણમાં આવી ગઈ છે. એટલું જણાવી દઉં કે મિ. ઍડસનના પેલા સાત વર્ષના ૪૨,૦૦૦ એકર ગણોતે આપેલી જમીનના આંકડાને એક
૧૮૯