________________
:ફેમ અડાઈ લયાદપંચના નિવેડા વિશે પણ હમેશાં થાય છે તેની જ કરી હતી નિવેડામાં પણ લવાદથી ચોખ્ખી ભૂલે થઈ હેય સે તે પાછળથી સુધારવામાં આવે છે. મારી નમ્ર માન્યતા છે કે મિ. બૂમફીલ્ડ, અને મિ. મેકસવેલે અતિશય મહેનતથી તૈયાર કરેલો રિપોર્ટ બીજી રીતે સ્તુતિપાત્ર છે છતાં તેમાં સ્પષ્ટ ભૂલો રહી ગયેલી છે, અને એવી ભૂલો વિષે મેં સરકારનું ધ્યાન ખેંચ્યું છે. પણું દુ:ખની વાત એ છે કે જ્યારે અરજીઓ દ્વારા દેખાતા અન્યાય વિષે સરકારનું ધ્યાન ખેંચવામાં આવે છે ત્યારે સરકાર કશી દાદ દેતી નથી. દેખીતા અન્યાય અને સંકટના લખલાઓમાં પણ સત્યાગ્રહ કરીને જ સરકારની આંખ ઉઘાડી શકાય એ શુભ ચિહ્ન નથી. મારે રૈયતને હવે વધારે સંકટ સહન કરાવવું નથી, એટલે મારા ઘરવા. પ્રમાણે જે દેખીતો અન્યાય છે તે પણ સાંખી લે રહ્યા.
તમારા કાગળમાં પેલી બીજી વાત વિષે તે કશે ઉલ્લેખ જ નથી જણું જોઈને તે ન હોય? બારડેલી અને ચોર્યાસીને નવા કાયદાને લાભ. મળશે જ એમ માની લઉં?
આજથી કશું વચન ન અપાય આ કાગળને જવાબ સર જે. એલ. રૂએ ૮મી ઓગસ્ટના પોતાના પત્રથી આપ્યો:
તમે તે સ્પષ્ટ અન્યાયની વાત કરે છે, પણ એ અન્યાય થયો છે. એમ તે સિદ્ધ કર્યું નથી. અને વળી ભૂલ થાય તે બધી રૈયતના જં અહિતમાં હોય એમ પણ તમે કેમ માની લીધું? સરકારના અહિતમાં પણ એ ભૂલે થતી હોય. . તમારા બીજા પ્રશ્નના જવાબમાં જણાવવાનું કે નામદાર ગવર્નરના ભાષણ ઉપરથી અને શ્રી. પાટકરના ઠરાવ ઉપર મેં કરેલા ભાષણ ઉપરથી તમે જોયું હશે કે ભવિષ્યમાં જે નવો કાયદો થશે તે મુજબ બારડોલી અને ચેર્યાસીમાં થયેલી નવી જમાબંધી ફરી તપાસવામાં આવશે એવી કબૂલાત સરકાર આપી શકતી નથી.
સત્યાગ્રહ કરવાની ફરજ પાડશે! ઉપરના કાગળને શ્રી. વલ્લભભાઈ એ નીચે પ્રમાણે જવાબ આપે, જે આ પત્રવ્યવહારમાં છેવટને કાગળ છે:
બૂમફીલ્ડ કમિટીના બીજી રીતે સરસ રિપોર્ટમાં દેખીતી ભૂલો વિષે હવે તમારી સાથે હું દલીલ ન કરું, મેં તે સમાધાનીવેળા સરકારને કહ્યું હતું કે કમિટીની ભલામણે બંને પક્ષ અક્ષરશ: સ્વીકારે એવી સમાધાનીમાં
૩૭૫