________________
સરકારની ધમકીએ. બાંધવાના હોય તે તેા સવાલ વિશાળ સ્વરૂપ લે એમ છે—ખરી રીતે એક વાકયમાં તે આમ મૂકી શકાય નામદાર શહેનશાહના ફરમાનને અસલ ચાલે કે કેટલીક બિનસરકારી વ્યક્તિઓનુ રાજ ચાલે છે? એ સવાલને, અને એ જ સવાલ હોય તા તેને, સરકાર પેાતાની પાસે છે તે સર્વ સામગ્રીશક્તિથી પહેોંચી વળવા તૈયાર છે; અને તપાસ સ્વીકારવાનું વચન આપવામાં આવે તે પહેલાં તે માટે સરકારે સુકેલી જરૂરી શરતા જિલ્લાના પ્રતિનિધિએ સ્વીકારે છે કે નકારે છે તે ઉપરથી સરકાર અને ઇલાકાની પ્રજા, તેમજ હિંદી સરકાર આગળ મુદ્દાને કર્યો સવાલ ઊભા છે તે સ્પષ્ટ રીતે દેખાઈ આવશે.
જો નવા .મહેસૂલના ન્યાયી કે અન્યાચીપણાને જ સવાલ હોય તા તે, આખુ' મહેસૂલમાગણુ ભરાઇ જાય તે પછી અને અત્યારની હિલચાલ સદ તર અધ કરવામાં આવે તે પછી સરકાર, સરકારી યાદીમાં જણાવવામાં આવેલી સ'પૂર્ણ, ખુલ્લી અને સ્વતંત્ર. તપાસકસિટીને આખા સવાલ સાંપવા તૈયાર છે. આ દરખાસ્ત મૂકવામાં સરકારને સૌથી વિશેષ એ ઇન્તેજારી રહી છે કે ખારડોલી તાલુકાના ખેડૂતે . આજે મહેસૂલ નહિ ભરવાની હિલચાલને પરિણામે, જેહિલચાલના ન્યાયીપણા વિષે આ સભાના કેટલાક સભ્યોને શંકા છે, ~ જે કમનસીમ પરિસ્થિતિમાં પટકાયા છે.તેમાંથી તેમને જેમ બને તેમ તેમ જલદી ઉગારી લેવા. આથી, ખારડાલી તાલુકાના ખેડૂતાના પ્રતિનિધિ તરીકે મને સૂરત ખાતે મળવા આવેલાએ આગળ એ સરકાર વતી જે દરખાસ્તા રજૂ કરી હતી મૈં જ માનવ ંતા સભાસદે આગળ હું મૂકું છું. એ દરખાસ્તા છાયામાં આવી ગઈ છે. એટલે તે ફરીથી કહી જવાની જરૂર નથી, પણ આટલું તા મારે
,
સ્પષ્ટ કરવુ પડશે કે એ દરખાસ્તા કંઈ સમાધાનીના ભાગ તરીકે નહિ પરન્તુ સરકારના ચાકંસ અને છેવટના ર્નિચરૂપે જ છે. એ દરખાસ્ત વાજખી છે, અને ગમે તે વિનીત માણસને તે માન્ય રહે એવી છે. તે દરખાસ્તમાં ફેરતપાસ માટે આવશ્યક એવી કેટલીક શરતે જણાવવામાં આવી છે, અને તેમાં કશે ફેરફાર કરી શકાય નહિ. આ દરખાસ્તામાં હું એક જ મુદ્દો લઈશ, અને તે નવી આંકણી મુજબનું સરકારી મહેસૂલ ભરપાઈ કરવા વિષેના. આ શરત મૂળમુદ્દાની છે, અને તે કાયદેસર તેમજ મધારણસરની માંગણી છે. એના ઇનકાર કરવા એ બિનકાયદેસર અને રાજબુ ધારણ વિરુદ્ધ છે. સૂરત ખાતે મને જણાવવામાં આવ્યું હતું કે આ નવું મહેસૂલ ભરવા વિષેની શરત સ્વીકારી શકાય એમ નથી, અને