________________
બલી ક્યાં ઇતિહાસ એક કલમ મૂકો, પણ તે સરકારે જ નહતી સ્વીકારી. છતાં આ ભૂલીન ખાતર હું સરકારની સાથે સત્યાગ્રહ કરવા નથી ઇચ્છતે. જે એક અંશે સિદ્ધાન્ત છે તેને મારાથી એમ સસ્ત નહિ કરી મૂકી શકાય. * બીજી બાબતમાં સરકારે જે વૃત્તિ ધારણ કરી છે તેથી મને અફસોસ થાય છે. એ બાબતમાં મને તે મારી ફરજ સ્પષ્ટ ભાસે છે, અને હું સરકારને નોટિસ આપું છું કે જે નવા કાયદાને પરિણામે જે નવાં રિવિઝન થાય તેથી બારડેલી ચોર્યાસી લાભ થતું હોય તો મારે એ તાલુકાના ગરીબ ખેડૂતોને માટે એ કાયદાના અમલના લાભ માટે આગ્રહ ધરા પડશે, અને તેમ કરવા ખાતર સત્યાગ્રહ કરવાનું જોખમ ખેડવું પડશે તો તે ચણ હું કરીશ.