________________
અમૃતવાણી
અસહંકાર, સત્યાગ્રહ, સવિનય ભોંગ જેવા શબ્દોનું કરાવાર નામ લેવાય છે, એને નામે જેમ સારાં કામ થયાં છે તેમ કેટલીવાર જ્હાં કામ પણ થયાં છે. એનું નામ લઈએ છીએ, કારણ દરેક પક્ષના કાર્યકર્તામાં સ્વરાજની જીંંખના રહેલી છે: પણ માત્ર ૐંખનાથી અર્થ નથી સિદ્ધ થઈ શકતા. તરસ્યા માણસની તરસ તરસ તરસ’ પાકા નથી છીપતી, પણ તળાવ, કૂવા ખાદાવે અથવા તેમાંથી પાણી મંગાવે, એટલે તરસ છીપવાના ઉદ્યમ કરેલે જ છીપે છે. તેમ તમે અહીં સત્યાગ્રહની સ્તુતિનાં વચન સાંભળી કૃતકૃત્યતા માનશે! તેા ભૂલ કરવાના છે.
એટલે મારી તમને વિનંતિ છે કે તમે સત્યાગ્રહનું રહસ્ય સમજો. આરડેલીમાં વલ્લભભાઈ પટેલને વિજય નથી થયા, સત્ય અને અહિંસાને વિજય થયા છે. જો એ તમને ખરેખર થયું છે એમ ભાસતું હેય તા એને પ્રત્યેક કાર્યમાં તમે પ્રયાગ કરો. એ પ્રયાગથી તમને સફળતા મળરો જ એમ તેા હું ન કહી શકું. ઈશ્વરે આપણને ત્રિકાળદર્શી નથી કર્યાં એટલે સફળતા સાચી મળી છે કે નહિ એની આપણને ખબર નથી પડતી. માણસ સફળ થયા કે અફળ થયા તે આખર સુધી ક્ડી નથી રશકતા. એટલે જ મણિલાલ પેાતાનું અમર વાકચ કહી ગયા છે: કઈ લાખા નિરાશામાં અમર આશા છુપાઈ છે.' એટલે નિરાશ થઈને, નિષ્કામ ભાવથી જે સત્ય અને અહિંસાની વલ્લભભાઈ એ આરાધના કરી તે સત્ય ને અહિંસાની તમે પૂર્ણ આરાધના કરશેા તેા તમને જયમાળા પહેરાવનારાં તે મળી જ રહેશે.