________________
બારડેલી તપાસસમિતિની સાથે ગયા ભાગમાં તપાસસમિતિ કેવી રીતે નિમાઈ અને શ્રી. વલ્લભભાઈએ તે કેવી શરતે સ્વીકારી એ જણાવ્યું છે. ૧૮ મી ઓકટોબર ૧૯૨૮ ના ઠરાવથી કમિટીની નિમણૂક જાહેર થઈ અને તા. ૧લી નવેંબરથી મિ. બ્રમણિીલ્ડ (ન્યાયખાતાના અમલદાર) અને - મિ. મેકસવેલ (મુલકી ખાતાના અમલદાર) પિતાના કામ ઉપર
ચડવા, અને પહેલું પખવાડિયું રિપોટી વાંચવાની અને આરંભિક તૈયારીમાં ગાળ્યું. પાંચમી તારીખે અમલદારોની સાથે એક ગુફતેગુ થઈ જે દરમ્યાન મુંબઈના પ્રસિદ્ધ એડવોકેટ શ્રી. ભૂલાભાઈ દેસાઈએ લોકપલ કહી સમજાવ્યું. તપાસનું કામ તા. ૧૪મી નવેંબરે શરૂ થયું, અને જાન્યુઆરી મહિનાની આખરની તારીખે બારડોલીમાં અને ફેબ્રુઆરીની આખરની તારીખે ચોર્યાસી તાલુકામાં પૂરું થયું.
. શ્રી. વલ્લભભાઈની ઇચ્છા મુજબ લોકોના તરફથી હકીકત રજૂ કરવાનું કામ ભાઈનરહરિ પરીખ, રામનારાયણ પાઠક અને મેં માથે લીધું હતું. અમને મદદ કરનારા તો પુષ્કળ ભાઈઓ હતા – શ્રી. મેહનલાલ પંડયા, કલ્યાણજીભાઈ, ચેખાવાળા, વગેરે. એમની મદદ એવી કીમતી હતી કે અમારાં પત્રકો વગેરેની અને બીજી તૈયારી જોઈને અમલદારોને અદેખાઈ થતી, અને ઘણીવાર કહેતાઃ “તમારા જેવી તૈયારી અમારી પાસે નથી, સરકારે એવી સગવડ અમને નથી કરી આપી. તમને તે આખે તાલુકે મદદ કરવાને તૈયાર છે.” આનંદની વાત છે કે પોતાનો રિપોર્ટ સરકારને રજૂ કરતાં અમલદારોએ જે કાગળ લખ્યો છે તે કાગળમાં તેમણે અમારી સાથેના પિતાના સંબંધને “અતિશય મીઠા સંબંધ” તરીકે વર્ણવ્યો છે, અમે આપેલી મદદને “કીમતી મદદ તરીકે વર્ણવી છે, અને લોકોની વૃત્તિ “તદ્દન વિરાધ વિનાની, અને અમારી તપાસમાં અમે આશા નહોતી રાખી એટલો સહકાર આપવાની' તરીકે વર્ણવી છે.
વાચકને સ્મરણ હશે કે સત્યાગ્રહના આરંભમાં ચોર્યાસી તાલુકાને લડતમાં જોડવાની સૂચના લઈને કેટલાક ખેડૂતે બારડોલી આવ્યા હતા, અને તેમને સમજાવીને શ્રી. વલ્લભભાઈએ પાછા
૨૯૯