________________
ગૂંચઉકેલ? ગણોતના આંકડા જ સારી પેઠે ઘટાડે સૂચવનારા હતા એટલે નછૂટકે તેમણે બીજા વર્ગમાં જૂજજાજ ઘટાડે અને છેલ્લા વર્ગમાં ૧૩ ટકા ઘટાડે સૂચવ્યો. કમિટી કહે છે: “જરાયત અને ક્યારીની જમીન ઉપર પડતા દરમાં બરાબર પ્રમાણ જળવાતું નથી એટલે કયારી ઉપરનો બોજો છેડો જરાયત ઉપર નાંખીએ તો યોગ્ય થશે.” આ બોજો ઉતારવા સારુ જરાયત ઉપર નાંખવો જોઈએ એનું શું કારણ? પણ એ બેજે કેવી રીતે ઊતર્યો તે આ આંકડા બતાવશેઃ કયારીની જમીન ઉપર કુલ રૂ. ૩,૮૩૪ મહેસૂલ ઓછું કરીને કમિટીએ જરાયત જમીન ઉપર રૂ. ૩૪,૮૫૩ વધાયું
પણ વધારે નહિ તે શું કરે? સિવિલ સર્વિસના અમલદારોને એક સિદ્ધાંત એવો લાગે છે કે મહેસૂલ બહુ ઓછું કરીએ તે કરજાઉપણું વધે છે ! ફર્નાન્ડીઝ નામને અગાઉ એક સેટલમેંટ ઑફિસર એવા જ ઉગાર કાઢી ગયો છે. તે ઉદ્દગારો આ અમલદારે ટાંકે છે, અને કહે છે કે દરના અમુક ધોરણથી ઊતરીએ તે લોકોના કરજનો બોજો ઊતરવાને નથી એ વિષે શંકા નથી. તો શા સારુ લેતા આવ્યા તે ન લેવું, અથવા ચાર આના વધારે ન લેવું ?