________________
લડત કેમ મંડાઈ" કહે છે: “કરજને એ આંકડે અને આજને આંકડે ગવર્નર અને તેની કાઉન્સિલ સ્વીકારી શકતાં નથી.” આના કરતાં વધારે મેટી અવળાઈ કોઈ કલ્પી શકાય ?
નિષ્પક્ષ તપાસ જોઈએ ૩. બારડોલી તાલુકામાં ગણાતના ૩૫ ટકાથી વધારે મહેસૂલ લેવાતું નથી એમ કહેવામાં આવ્યું છે. આ આંકડાના જાદુ વિષે બે શબ્દ મારે કહેવા જોઈએ. સરકાર ભૂલી જાય છે કે જે ગણોત અને વેચાણના દાખલાઓ સેટલમેન્ટ કમિશનરે લીધા છે તે તદન અવિશ્વાસપાત્ર છે એ મારી ફરિયાદ છે, કારણું વેચાણના અને ગણેતન દેખીતા દાખલાઓ તેમણે રદ નથી કર્યા, પણ બધા ગણતરીમાં લીધા છે. જે સાચાં ગણતના દાખલાઓ કાઢવામાં આવ્યા હોત તો મહેસૂલ કદાચ ગણતના ૫૦ ટકાથીયે વધવા જાત, પણ સરકારી કાગળમાં વાંધો ઉઠાવવામાં આવે છે?
સરકારનાં પહાણીપત્રકમાંથી લીધેલા દાખલાઓ અનિશ્ચિત કેમ ગણવામાં આવે છે એનું કારણ તે આપવામાં આવતું નથી. આ બાબતમાં મારા વિસ્તારથી આપેલ જવાબ કાંઈ પણ શંકાનું કારણ રહેવા દે છે એથી મને આશ્ચર્ય થાય છે. સરકારના પત્રકમાં ગણોત કે વેચાણનો દસ્તાવેજ ન હોય, પણ કયા સંજોગોમાં એ ગણોતની અથવા વેચાણની રકમ . ઠરાવવામાં આવી એ નોંધેલું નથી હોતું. એ તો કઈ પ્રામાણિક અમલદાર તપાસ કરીને ખેળી કાઢે ત્યારે ખબર પડે, ત્યાં સુધી ખબર ન પડે; અને તે જ તે સાચા અને ખોટા વેચાણ અને ગણોતના વ્યવહાર છૂટા પાડી. શકે. સરકારી અમલદારેએ આપેલી જુબાનીમાંથી મેં જે મહત્વનાં ઉતારાએ મારા કાગળમાં આપ્યા છે તેમાં જ સ્પષ્ટ રીતે બતાવવામાં આવ્યું છે કે સરકારનાં પત્રકે ઉપર કેમ વિશ્વાસ રાખી ન શકાય. એટલે એ વિષે મારે વધારે વિવેચન કરવું ન જોઈએ. અહીં એટલું જ જણાવવાની રજા લઉં છું કે એ પત્રકે આજે નવાં નથી ઉત્પન્ન થયાં પણ કેટલાંયે સાલથી છે એમ એ અમલદારે જાણતા છતાં, તેમના અનુભવે તેમની પાસે ચેતવણી અપાવી છે કે એ પત્રકમાંથી મળતી માહિતી ઉપર વિશ્વાસ રાખી ન શકાય. સેટલમેંટ અમલદારે પોતાનું કામ બરાબર રીતે કર્યું એ સરકારના વચનને હું હજી પણ ઇનકાર કરું છું, અને સરકારને તપાસ કરવાનું આન આપું છું. હું તો આગળ જઈને એ પણ કહું છું કે સરકારી પત્રકમાંથી વેચાણ દસ્તાવેજો બધા લેવામાં સેટલમેંટ અમલદાર લેંડ રેવન્યુ કોડની કલમ ૧૦૭ માં આપેલી શરતને પણ. પી ગયા છે. એ કલમમાં ઠરાવ્યું છે કે જમીનની કિંમતમાં અથવા તે..
૩૪૯