Book Title: Bardoli Satyagrahno Itihas
Author(s): Mahadev Haribhai Desai
Publisher: Navjivan Prakashan Mandir

View full book text
Previous | Next

Page 365
________________ લડત કેમ મડાઈ? સત્યાગ્રહપ્રતિજ્ઞાથી પણ ખેડૂતો એ શરતે બંધાય છે–એક તે એ કે સરકાર જૂનું મહેસૂલ લઈને પૂરી પહોંચ આપે, અથવા તો નિષ્પક્ષ પંચ નીમે, તો તેઓ તુરત મહેસૂલ ભરી દે. આ બેમાંથી એક રસ્તે કાઈ પણ આબરૂદાર સરકારને લે મુશ્કેલ ન હૈ જોઈએ. લિ. આપને, ૧ લી માર્ચ, ૧૯૨૮. વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલ - વિષ્ટિને પત્ર (નામદાર ગવર્નરને શ્રી. વલભભાઈને પત્ર), - અમદાવાદ, ૨૬-૨-૧૯૨૮. સાહેબ, આપ નામદારને હું જે બાબત લખવાની રજા લઉં છું તેમાં -ગુજરાતના એક લાખ ખેડૂતોના હિતને પ્રશ્ન સમાયેલો છે. આ કાગળ હું આપને ભારે સંકેચ સાથે અને મારી જવાબદારીને ચોકસ ખ્યાલ રાખીને લખું છું. વળી હું સીધા આપ નામદારને જ લખવાની છૂટ લઉં છું, કારણ એ બાબત અતિશય જરૂરી છે તથા લોકેને માટે અને કદાચ સરકારને માટે પણ બહુ મહત્ત્વની છે. સૂરત જિલ્લાના બારડેલી તાલુકાના જમીન મહેસૂલની નવી આકારણમાં ૨૨ ટકાને વધારે કરવામાં આવ્યું છે, અને મહેસૂલી ખાતાના તા. ૧૯મી જુલાઈ ૧૯૨૭ ના સરકારી ઠરાવ નં. ૭૨૫૯/ર૪ની રૂએ તેનો અમલ ચાલુ સાલથી થવાનો છે. આથી કેનાં દિલ બહુ ઉશ્કેરાયાં છે, અને પોતાને ભારે અન્યાય થયો છે એમ તેઓ માને છે. રાહત મેળવવાના બધા સામાન્ય ઇલાજે અજમાવી લીધા પછી તેમની એક પરિષદ બારડેલી મુકામે ખેડૂતોને એકતરફી, અન્યાયી અને જુલમી લાગતી આ નવી આકારણીનો વિરોધ કરવાનો વિચાર કરવા મળી. એ પરિષદનું પ્રમુખપદ લેવા તેમણે મને નિમંત્રણ કર્યું. છેલ્લા પખવાડિયામાં આ બાબત આ તાલુકાના અનેક ગામોની અરજીઓ મારી પાસે આવી હતી. પરિષદનું કામ શરૂ થતાં પહેલાં ૭૫ થી પણ વધારે ગામના પ્રતિનિધિઓને હું મળે. કોઈ પણ ગામને એક પણ પ્રતિનિધિ એ નહોતે જે આ આકારણીને અન્યાયી ન માનતો હોય. પાંચ ગામના પ્રતિનિધિઓએ મહેસૂલમાં થયેલો વધારે જે ફક્ત ન ભરવાની ઇચ્છા દર્શાવી. તેટલાં ગામ અપવાદરૂપે બાદ કરતાં બાકીનાં ૭૦ કરતાં વધારે ગામાએ જ્યાં સુધી દાદ ન મળે ત્યાં સુધી આખું નવું મહેસૂલ ભરવા ના પાડવાને પિતાને નિર્ણય એકેઅવાજેજાહેર કર્યો. આમ બહુ ગામે મત જોઈ ૩૫૧

Loading...

Page Navigation
1 ... 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406