Book Title: Bardoli Satyagrahno Itihas
Author(s): Mahadev Haribhai Desai
Publisher: Navjivan Prakashan Mandir

View full book text
Previous | Next

Page 380
________________ આરડેલી સત્યાગ્રહને ઇતિહાસ કદી કાઢયા જ નહિ. આમ જુલાઈમાં જ નવી આકારણે દાખલ થવામાં સેટલમેંટના મહત્વના કાયદાનું ઉલ્લંઘન થયું છે, અને જે ગામના --વાંધાઓ માગવામાં આવ્યા તેમની ઉપર ચાલુ વરસે નવા વધારાની - આકારણી એ પણ ગેરકાયદે છે. ૯. તમારા કાગળના ૭મા પૈરામાં તમે જે કંઈ કહ્યું છે તેને માટે હું તમારે આભારી છું. દિલગીરી એટલી જ કે તેમ કરવામાં તમે જે ભાષા વાપરી છે તે સરકારનું એક જવાબદાર અમલદારને શોભતી નથી. તમે - મને તેમજ મારા સાથીઓને “બહારના લોક” લેખતા જણાએ છે. હું મારા પિતાકા લોકોને મદદ કરી રહ્યો છું એના રેષમાં તમે એ વાત ભૂલી - જાઓ છે કે જે સરકારની વતી તમે બોલે છે તેના તંત્રમાં મુખ્યપદે - બધા “બહારના લોક” જ ખદબદે છે. હું તો તમને કહી જ દઉં કે જોકે - હું મને પિતાને હિંદુસ્તાનના કોઈ પણ ભાગ જેટલો જ બારડોલીને પણ રહીશ સમજું છું, છતાં ત્યાંના દુઃખી રહેવાસીઓને બોલાવ્યો જ હું ત્યાં * ગયે છું અને કઈ પણ ક્ષણે મને રજા આપવી એ એમના હાથમાં છે, હું - ઇચ્છું છું કે તેમના હીરને અહેરાત્ર ચૂસવાર, બહારથી આવેલા ને તપ- બંદૂકને જેરે લદાયેલા આ રાજ્યતંત્રને પણ તેટલી જ સહેલાઈપૂર્વક રજા આપવાનું એમના હાથમાં હોત. ૧૦. અંતમાં એક નિષ્પક્ષ પંચ નીમવાની મારી સૂચનાને ફરી એકવાર હું ઉચ્ચાર કરું છું, અને જે નામદાર ગવર્નરસાહેબ મારી સૂચના સ્વીકારવા ખુશી હોય તો હું તાલુકાના લોકોને જૂનું મહેસૂલ -તાબડતોબ ભરી દેવા સલાહ આપીશ. ૧૧. નામદાર ગવર્નરસાહેબની સંમતિ હોય તો આ પત્રવહેવાર : હું પ્રગટ કરવા માગું છું. તમારે વિશ્વાસુ, - વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલ સરકારને છેલ્લે જવાબ જે. ડબલ્યુ. સ્મિથ, આઈ. સી. એસ. મુંબઈ સરકારના રેવન્યુ ખાતાના સેક્રેટરી તરફથી શ્રીયુત વલલભભાઈ ઝ. પટેલ જેગ મુંબઈ, તા. ર૭ ફેબ્રુઆરી, ૧૯૨૮ સાહેબ, તમારા ૨૧મી તારીખના કાગળની પહોંચ સ્વીકારવાનું ગવર્નર અને તેની કાઉન્સિલ તરફથી મને ફરમાવવામાં આવ્યું છે..

Loading...

Page Navigation
1 ... 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406