________________
આરડેલી સત્યાગ્રહને ઇતિહાસ સત્યાગ્રહ કરવાનો ઠરાવ કરવાની તૈયારી કરીને આવેલા અને મારી સૂચનાને માન આપીને જ તેઓ ૧૨મી તારીખ સુધી પોતાનો નિર્ણય મુલતવી રાખવા કબૂલ થયેલા એ બીના તમારા ધ્યાનબહાર રહી જણાય છે. મેં આ હકીક્ત મારા કાગળમાં સ્પષ્ટપણે જણાવી હતી. જવાબમાં મારા આટલી અગત્યના કાગળને રેવન્યુ ખાતા તરફ મોકલવામાં આવ્યું છે એમ જણાવતાં મામુલી પહોંચના કાગળ ઉપરાંત મજકુર તારીખ સુધી જ્યારે કશો વધુ જવાબ મને ન મળે ત્યારે મારે એવું અનુમાન કાઢવું જ રહ્યું હતું કે ખાતાએ મારા કાગળ પર ધ્યાન આપવાની જરૂર નથી જોઈ. જે તેમ નહોતું તો મારા કાગળનો વીગતવાર જવાબ તમે આપવાના છે એવી ખબર મને તા. ૧રમી પહેલાં તારથી અગર બીજી રીતે કરવાને રસ્તો તમારે માટે ખુલ્લે હતો.
તા. ૧૬મી જાનેવારીના “યંગ ઇન્ડિયા'માં બારડોલી પરિષદને જે સત્તાવાર અહેવાલ છપાયે છે તે પરથી તમે જોશે કે મારા ભાષણમાં મેં કહેલું કે જે સરકારે આપણી વષ્ટિ ચાલે ત્યાં સુધી મહેસૂલવસૂલી મુલતવી રાખવાના હુકમો કાઢયા હોત તો હું પણ રાહ જેવા આનાકાની ન કરત. ધારાસભાના સભ્યોની બાબતમાં તો મારે એટલું જ કહેવાનું છે કે પહેલી જ સભા વખતે તેમણે સ્પષ્ટ કર્યું હતું કે તેઓ પિતાને સૂઝયા તે બધા ઉપાય અજમાવી ચૂક્યા છે, અને છેવટે ખેડૂતોને મારી પાસે જવાની સલાહ આપવા સિવાય બીજો કોઈ માર્ગ તેમને જડડ્યો નથી. વળી ખેડૂતોને તેઓ જે પગલું લેવા માગતા હતા તેના પરિણામને લગતી મેં આપેલી ચેતવણે મજકૂર સદ્ગુહસ્થોએ આપેલી ચેતવણી કરતાં કદાચ વધુ જ આકરી હતી.
ગુજરાત કેટલું ખમે છે? ૩. તમારા કાગળના પૅરા ૩ માં તમે જે કહ્યું છે તેનો જવાબ આપવામાં હું તમે ધારણ કરેલા ધોકાપંથી સૂરની હરીફાઈ નહિ કરું. હું બીજી બાબતમાંથી થોડીક આગળ તરી આવતી બાબતો પર જ નામદાર ગવર્નરસાહેબનું ધ્યાન ખેંચીશ. તે એ કે:
(ક) ગુજરાત એ આખા ઇલાકામાં સૌથી આકરામાં આકરાં જમીનમહેસૂલ ભરનારે પ્રાંત છે. આ સર્વ પક્ષે કબૂલ રાખેલી બીન છે.
(ખ) ખેડા જિલ્લાના કેટલાયે તાલુકાઓમાં હાલની પૂરી થયેલી મહેસૂલ આકારણીના ગાળા દરમ્યાન મજકૂર આકારણીને પરિણામે જે સ્થિતિ ઊભી થઈ તે સરકારને પોતાને પણ એટલી આકરી લાગેલી કે તેમને મજકુર ગાળામાં સંખ્યાબંધ ગામડાને અવારનવાર ૧૬ ટકા થ્યની