Book Title: Bardoli Satyagrahno Itihas
Author(s): Mahadev Haribhai Desai
Publisher: Navjivan Prakashan Mandir

View full book text
Previous | Next

Page 349
________________ ગૂંચઉકેલ? • છે, પણ એ જ જમીનનો આકાર રૂ. ૨૧૮-૬ છે (એટલે કે શ્રી. જયકરે આપેલી રકમનું બમણું છે). એટલે આ આંકડામાં કયાંક ભયંકર ગોટાળે હોવા જોઈએ, એટલે શ્રી. જયકરે ગણેત મહેસૂલનું ૧૧.૨૯ ગણું છે એમ જણાવ્યું છે તેને માટે જરાય આધાર નથી. છતાં એ આંકડાને આધારે સેટલમેંટ કમિશનર અંડર્સને લખ્યું કે એ ગામને ત્રણ વર્ગ ચઢાવી પહેલા - વર્ગમાં મુકાય છતાં એને આકાર વધારે પડતો નથી એમ કહેવાય.” હશે આ આંકડામાં વાચકને વધારે ઉતારવાની હું જરૂર જેતો નથી, જેકે રિપોર્ટમાં તે એ આંકડાના બેદુદાપણા ઉપર અને મિ. અંડર્સને એના ઉપર આધાર રાખવાની જે ભૂલ કરી તે ઉપર પાનાનાં પાનાં ભય છે: બીજી એક શોધ અમલદારોએ એ કરી કે મિ. ઍડર્સને -તાલુકાની ત્રીજા ભાગની અથવા લગભગ અધ જમીન ગણેતે અપાઈ છે એમ માનવામાં ભીંત ભૂલ્યા હતા : “શ્રી. જયકરને સાત વર્ષને ગણતનો આંકડો ૪૨,૯૨૩ એકર લઈને મિ. અંડસને જમીનના કુલ આંકડા ૧,૨૬,૯૮૨ એકરની સાથે તેનું પ્રમાણ કાઢયું; જ્યારે ૪૨,૯૨૩ એકરનું પ્રમાણ તે એક વર્ષની કુલ જમીન સાથે ન નીકળે પણ ૧,૨૬,૯૮૨ એકરના સાત ગણું કરીને તેની જ સાથે નીકળી શકે. એટલે ગણેતે અપાતી જમીન લગભગ અધ છે એમ કહેવામાં મિ. ઍડર્સને ભારે થાપ ખાધી છે.” અમલદારોની પિતાની ગણત્રી પ્રમાણે કુલ ગણોતે અપાતી - જમીન સંકડે ૯ ટકાથી ૧૧ ટકા જેટલી હોવી જોઈએ. અમે ૬ રકાની અટકળ કરી હતી. અને એ અટકળ સાચી છે, કારણ એ કુલ ગણાતે અપાયેલીમાંથી કહેવાતી ગણોતે આપેલી બાદ જાય તો શુદ્ધ ગણોતે અપાયેલી કદાચ ૬ ટકા જ રહે. - વેચાણના દાખલાઓની પણ તપાસ તો શેની જ હોય? એ પણ અમલદારોએ કેટલાંક ગામેની તપાસ ઉપરથી જોયું. અને પરિણામે એ નિર્ણય ઉપર આવ્યા કે શ્રી. જ્યકર અને. મિ. અંડર્સને ગણેતના આંકડાને આધારે ગામડાંના વર્ગમાં જે ફેરફાર કર્યા છે તે આખા રદ કરવા જોઈએ. - ત્યારે અમલદારોએ પિતે શી રીતે ગૂંચ ઉકેલી ? એ કે ભલા થયા હોત તો કહી શકતા હતા કે તાલુકાની સામાન્ય - ૩૨૫

Loading...

Page Navigation
1 ... 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406