Book Title: Bardoli Satyagrahno Itihas
Author(s): Mahadev Haribhai Desai
Publisher: Navjivan Prakashan Mandir

View full book text
Previous | Next

Page 318
________________ પ્રકરણ આરડેલી સત્યાગ્રહનો ઇતિહાસ ઊઘડવા માંડી. વળી આગળ વધીને સવાલ પૂછળ્યોઃ “આ લોકો જાણે છે તે ખરાને કે જયકર કોણ છે?' - એટલે લોકોએ કહ્યું , જયકર પ્રાંત અમલદાર હતા એમ સાંભળ્યું છે, પણ એમનું મેં જોયું હોય તો ખબર પડે ના કે એ કોણ હતા ?” પટેલતલાટીને આ બેધડક જવાબ મેળવીને જ મિ. બ્રમણીલ્ડ આભા બન્યા. આ પછી તે તેમણે ઘણે ઠેકાણે એની એ જ તપાસ કરી, એના એ જ જવાબ મેળવ્યા; બીજાં ગામોએ પણ આફવા ગામની જેમ કુલ તારવ્યા વિનાનાં ગણતના આંકડા અને શ્રી. જ્યકરના તારવેલા આંકડા તપાસ્યા, પણ બધે જ એમને જયકરના આંકડા ઢંગધડા વિનાના લાગ્યા. છે એટલે અમલદારની આગળ સમસ્યા એ ઊભી થઈ કે જે ગણોતના શ્રી. જયકરે તૈયાર કરેલા આંકડા છેક ખોટા જ હોય તે શું બધે નવાં પત્રક તૈયાર કરવા કે ગણોતના ઉપર આધાર રાખવાનો વિચાર માંડી વાળ. આરંભમાં એમણે એકબે ઠેકાણે અમને કહ્યું: “તમે નાતોટાના આંકડા આપવાના હતા તે કેમ થયું ?' એટલે અમે એ આંકડા આપવા માંડયા. એ આંકડામાં ખોટ આવે એટલે એ જોઈને અમલદાની મૂંઝવણ વધી. સરણમાં એવો નિશ્ચય કર્યો કે આ આંકડા વિષે અમારી અને ખેડૂતોની સખ્ત ઊલટતપાસ કરવી અને આંકડા ખોટા પાડવા. એ. ઊલટતપાસથી તે તેઓ આંકડા બેટા ન પાડી શક્યા એમ આપણે આવતા પ્રકરણમાં જેશું, પણ એ આંકડા ખોટા ન પડ્યા, એટલે કાંઈક બીજો રસ્તો કાઢવો જોઈએ એવા નિશ્ચય ઉપર તેઓ આવ્યા. આ નિશ્ચય ઉપર આવતાં પણ તેમને ત્રણેક અઠવાડિયાં ગયાં હશે એમ લાગે છે; અને એ નિશ્ચય ઉપર આવીને એમણે પહેલા મુદ્દાને એ જવાબ કા કે ન કાઢવાની રીત અનેક છે જેમાંની એક શુદ્ધ ગણોત તપાસવાની છે, અને તેથી ગણોત ઉપર આધાર રાખવામાં કલમ ૧૦૭નો ભંગ થતો નથી. છતાં તેમણે પોતાના રિપોર્ટમાં એટલું તો કબૂલ જ કર્યું કે આ તાલુકામાં ગણતે આપવાને રિવાજ ઓછો છે, ૩૦૪

Loading...

Page Navigation
1 ... 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406