________________
પ્રકરણ
આરડેલી સત્યાગ્રહનો ઇતિહાસ ઊઘડવા માંડી. વળી આગળ વધીને સવાલ પૂછળ્યોઃ “આ લોકો જાણે છે તે ખરાને કે જયકર કોણ છે?' - એટલે લોકોએ કહ્યું ,
જયકર પ્રાંત અમલદાર હતા એમ સાંભળ્યું છે, પણ એમનું મેં જોયું હોય તો ખબર પડે ના કે એ કોણ હતા ?” પટેલતલાટીને આ બેધડક જવાબ મેળવીને જ મિ. બ્રમણીલ્ડ આભા બન્યા. આ પછી તે તેમણે ઘણે ઠેકાણે એની એ જ તપાસ કરી, એના એ જ જવાબ મેળવ્યા; બીજાં ગામોએ પણ આફવા ગામની જેમ કુલ તારવ્યા વિનાનાં ગણતના આંકડા અને શ્રી. જ્યકરના તારવેલા આંકડા તપાસ્યા, પણ બધે જ એમને જયકરના આંકડા ઢંગધડા વિનાના લાગ્યા. છે એટલે અમલદારની આગળ સમસ્યા એ ઊભી થઈ કે જે ગણોતના શ્રી. જયકરે તૈયાર કરેલા આંકડા છેક ખોટા જ હોય તે શું બધે નવાં પત્રક તૈયાર કરવા કે ગણોતના ઉપર આધાર રાખવાનો વિચાર માંડી વાળ. આરંભમાં એમણે એકબે ઠેકાણે અમને કહ્યું: “તમે નાતોટાના આંકડા આપવાના હતા તે કેમ થયું ?' એટલે અમે એ આંકડા આપવા માંડયા. એ આંકડામાં ખોટ આવે એટલે એ જોઈને અમલદાની મૂંઝવણ વધી. સરણમાં એવો નિશ્ચય કર્યો કે આ આંકડા વિષે અમારી અને ખેડૂતોની સખ્ત ઊલટતપાસ કરવી અને આંકડા ખોટા પાડવા. એ. ઊલટતપાસથી તે તેઓ આંકડા બેટા ન પાડી શક્યા એમ આપણે આવતા પ્રકરણમાં જેશું, પણ એ આંકડા ખોટા ન પડ્યા, એટલે કાંઈક બીજો રસ્તો કાઢવો જોઈએ એવા નિશ્ચય ઉપર તેઓ આવ્યા. આ નિશ્ચય ઉપર આવતાં પણ તેમને ત્રણેક અઠવાડિયાં ગયાં હશે એમ લાગે છે; અને એ નિશ્ચય ઉપર આવીને એમણે પહેલા મુદ્દાને એ જવાબ કા કે ન કાઢવાની રીત અનેક છે જેમાંની એક શુદ્ધ ગણોત તપાસવાની છે, અને તેથી ગણોત ઉપર આધાર રાખવામાં કલમ ૧૦૭નો ભંગ થતો નથી. છતાં તેમણે પોતાના રિપોર્ટમાં એટલું તો કબૂલ જ કર્યું કે આ તાલુકામાં ગણતે આપવાને રિવાજ ઓછો છે,
૩૦૪