________________
બારડેલી સત્યાગ્રહનો ઇતિહાસ
પ્રકરણ પડયું. એક ગામે તે ઘાસની ગંજીનાં ગાડાં ભરીને લેકે જતા હતા એટલે સાહેબએ તુરત પૂછયું, “આ ગાડાં ક્યાં જાય છે ?” તેમને જવાબ મળ્યો, “બીજા ગામના લેકની જમીન આ ગામે છે, તેઓ ઘાસ કાપીને પોતાને ઘેર લઈ જાય છે.” આમ છતાં સાહેબે બહુ સાવધાનીથી લખે છેઃ
સંભવ છે કે અમને ઘાસના વેપાર વિષે ખેટી ખબર આપવામાં આવી હોય, પણ સૂરતમાં તે ચોર્યાસી તાલુકાનાં અને પાસેના ગાયકવાડી ગામનું. જ ઘાસ આવે છે એ વિશે શંકા નથી, અને ઘણાં ગામમાં તે ઘા હેરના ઉપગપૂરતું જ છે.”
શ્રી. જયકરે બીજાં વધારાનાં જે કારણે આપ્યાં છે તેમને પણ સાહેબએ ઠીક નિકાલ કરી નાંખ્યો. ખેતીની મજૂરી બમણું થઈ છે એ કારણ તથા સામાન્ય ભાવ વધ્યા છે એ કારણ તે મહેસૂલ વધારવાને માટે નહિ પણ મહેસૂલ ઓછું કરવાને માટે અપાવું જોઈએ એમ અમલદારો જણાવે છે. દૂધાળાં ઢોરનો. વધારે, રાનીપરજ લેકની સ્થિતિમાં સુધારે, સુંદર ઘરે, અને કપાસના ભાવ એ બીજા કારણે તરીકે જણાવવામાં આવ્યાં. હતાં. વસ્તીની વધઘટ વિષેના અમારા બધા ખુલાસા સાહેબને પસંદ પડથા. એક ઠેકાણે વસ્તીગણત્રી થઈ તે દિવસે બે જાન આવી હતી એટલે વસ્તી વધી ગઈ એ કારણુ સાહેબને બહુ નોંધવા જેવું લાગ્યું, અને એકંદર રીતે સાહેબને જણાયુંઃ
“બારડોલીમાં જે વસ્તીને વધારે થયેલો દેખાયેલો છે તે નજીક છે. ચોર્યાસીમાં વધારો થયું જ નથી. એટલે આ જમાબંધીમાં વસ્તીની વાત તો વિચારવા જેવી લાગતી જ નથી.”
ઘરને વિષે સાહેબોએ જણાવ્યું :
“અમે કેટલાંક ઘરે જોયાં, અને કણબી અને અનાવલાનાં ઘરે અમને સારાં લાગ્યાં. અને એ ઘરે આબાદી નહિ તે લેકે ખાધેપીધે સુખી છે - એમ તે બતાવે છે. પણ આ મોટાં ઘરમાંનાં ઘણાંખરાં દક્ષિણ આફ્રિકાવાસીઓનાં છે, અને જમીનના નફામાંથી નથી બાંધવામાં આવ્યાં વળી મોટાં ઘરે આબાદીની નહિ પણ ઉડાઉપણાની અને ખાલી ભપકાની નિશાની છે. વળી બારડોલીમાં ઘરમાં અર્ધા ભાગમાં તે ઢેર પણ વસે છે, અને માળ ઉપર દાણેદુણી અને કચરું ભરવામાં આવે છે, એટલે મોટાં ઘરે જઈને આબાદીનું અનુમાન બાંધવું એ બરાબર નથી.”