________________
-આરડેલી સત્યાગ્રહનો ઇતિહાસ •
પ્રકરણ ૨. સગાવહાલાં વચ્ચેનાં ગણતો. આ ગણતે કેવળ ગામડાના સ્વાર્થને વિચાર કરીએ તે ગણત્રીમાં લેવામાં આવે એ અમને પોસાય એમ હતું, પણ ન્યાયને ખાતર અમે એવાં બધાં ગણોતે બાતલ કરાવ્યાં. કારણ કેટલીકવાર ગણતની અને મહેસૂલની રકમ બંને સરખી જ હોય, અને એ ગણત્રીમાં લેવાય તો મહેસૂલ અને ગણોતનું પ્રમાણ ઓછું નીકળે. એક ઠેકાણે તે ધણી પિતાની સ્ત્રીને ગણોતિયો હતો ! કુંભારિયા ગામમાં ભાઈભાઈ ગણોતિયા હોવાના ઢગલાબંધ દાખલા હતા.
૩. બીજી જમીનને જેમાં સમાવેશ થતો હોય એવાં ગણોતો.
નીચેનાં ગણોતે વિશેષ પ્રકારનાં તરીકે નોંધાયાં, એટલે કે તેની સામે નોંધ લખાઈ, કે જેથી કરીને ગણતની રકમ વધારે હોય તે તેને ખુલાસો મળે?
૧. ઘાસિયાંનાં ગણોતો. ઘાસિયું ખેતર, માલિકની જમીનની પાસે હોય, વાડાવાળું હોય તે તેનું વધારે ગણોત ઠરાવવામાં આવ્યું હોય,
૨. જેમાં ઘર અથવા ઝૂંપડાના ભાડાને સમાવેશ થતો હોય; ૩. ઝાડના ભોગવટાવાળાં ગણે;
૪. જે જમીન ઉપર મૂળ માલિકે ખાતર નાંખવાનો, ખેતર સુધરાવવાને, ખોદાવવાને, વાડ કરવાને, અથવા સાફ કરાવવાને ખર્ચ કર્યો હોય, અથવા ટ્રેકટરથી જમીન નવી ફડાવવાનો ખર્ચ કર્યો હોય;
૫. કપાસના ભાવ બહુ ચડી ગયેલા હતા તે દરમ્યાન કરવામાં આવેલા ગણોતપટાઓ;
૬. ગતિ તદ્દન તારાજ થઈ ગયો હોય, તેની સામે - હુકમનામું થયું હોય, ગણોત બાકી રહ્યું હોય અથવા ન ભરાયાં હોય એવાં ગણેત;
૭. કેટલીકવાર ગણતમાં જમીન મહેસૂલનો સમાવેશ થતો હોય, - અથવા ગણાત ઉપરાંત ગણોતિયાને જમીન મહેસૂલ પણ ભરવાનું હોય;
૮. જમીન ખેડૂતની જમીનની પાસે હોય માટે ગણોતે લીધી હોય; ઘણુંખરાં સાચાં ગણતાં બારડોલીમાં તો આવી * જમીનમાં જ હતાં.
૩૩૨