________________
બારડેલી સત્યાગ્રહને ઈતિહાસ
પ્રકરણ એવા પુરુષને સાપરાધ પ્રવેશની સજા થઈ તેમને ગુનો એટલો જ હતો કે મામલતદારને હેરાન કરવાના કે રંજાડવાના કશા ઇરાદા. વિના મામલતદારના કમ્પાઉંડમાં તેમણે પ્રવેશ કર્યો. ૧૮૬મી કલમના ગુના માટે ધમકીનું કાંઈ સ્પષ્ટ કૃત્ય હોવું જોઈએ. પરંતુ આવા કૃત્યના કશા પુરાવા વિના શ્રી. રવિશંકર, ચિનાઈ તથા. સન્મુખલાલને એ કલમ મુજબ ગુનેગાર ગણી સજા કરવામાં આવી. શ્રી. ચિનાઈના મુકદ્દમાનું ફારસ તો શ્રી. રવિશંકરનાને પણ. ભુલાવે એવું હતું. ન્યાયાધીશના ચુકાદાની ભાષા વાપરીએ તે, આરોપીએ એટલું જ કરેલું જણાય કે “મામલતદારની હાજરીમાં ખુશાલ નાથાને મહેસૂલ નહિ ભરવાનું તેમણે સમજાવ્યું, અને ખુશાલ નાથાને જાહેરનામું ફેંકી દેવાનું કહ્યું.' આ ખુશાલ નાથાને સાક્ષી તરીકે બેલાવવામાં આવ્યા ન હતા, પણ ફરિયાદ પક્ષના બે સાક્ષીઓ (સરકારી નોકર)એ શ્રી. ચિનાઈએ કેવી રીતે ખુશાલ નાથાને સમજાવ્યું તેનું આ વર્ણન આપ્યું હતું
ચિનાઈએ ખુશાલને કહ્યું કે તારે મહેસૂલ ભરવું હોય તો ભરી દે અગર ન ભરવું હોય તે “ના” કહી દે.” આને તે ન ભરવાનું સમજાવ્યું કહેવાય કે ભરવાનું સમજાવ્યું કહેવાય? પણ પીનલ કેડની ૧૮૬મી કલમ મુજબ ગુનો થવા માટે મેજિસ્ટ્રેટ માટે આટલા જ શબ્દો પૂરતા હતા ! '
ભાઈશ્રી સન્મુખલાલની ઉપરના કેસનું વર્ણન વિસ્તારથી સોળમાં પ્રકરણમાં આપવામાં આવ્યું છે. અહીં તો આ કેસનો કાયદાની દષ્ટિએ જ વિચાર કરશું. તલાટી ફરિયાદી હતો અને પટાવાળા ફરિયાદપક્ષના સાક્ષીઓ હતા. જમીઅમલદાર જેમની જ જુબાની કાંઈ પણ ઉપયોગી થઈ પડત તેમને સાક્ષી તરીકે બિલકુલ બેલાવવામાં જ આવ્યા નહોતા. ફરિયાદીએ કહ્યું : “સન્મુખલાલ આવ્યા અને તેમણે કહ્યું, “તમે જતી કરે છે, પણ કાલે સવારે તેનું પરિણામ શું આવે છે તે જોઈ લેજો....” એક સાક્ષીએ પ્રોસીક્યુટરના ખુલ્લામાં ખુલ્લા ઇશારા પછી જુબાનીમાં કહ્યું કે સામાજિક બહિષ્કારની કાંઈક ધમકી આપવામાં આવી હતી. ચુકાદાની ભાષા વાપરીએ તે “પટાવાળા.