________________
આરડેલી સત્યાગ્રહને ઇતિહાસ
પ્રકરણ બારડોલીમાં સત્યાગ્રહસેના હતી તેવડી જ કાયમ રાખી છે, સરદાર સમાધાની થઈ છે એમ માનતા નથી, એટલું જ નહિ પણ તે અને તેમના સાથીઓ તપાસસમિતિને માટે પુરાવા એકઠા કરી રહ્યા છે, અને સમિતિની આગળ ઘણા ખેડૂત પુરાવો આપે એમ ઇચ્છતા નથી, કારણ એકબીજાને તેડે એ પુરાવો આપે છે. તેમનો કેસ માર્યો જાય. આમાંથી એક વાત સત્ય નહોતી. કારણ શ્રી. વલ્લભભાઈ તે આખો વખત બારડોલીની બહાર હતા, અને તેમણે આ લેખ જોયો એટલે તુરત એનું પિકળ ખોલનારું એક નિવેદન બહાર પાડયું. વલ્લભભાઈનું આ નિવેદન એ વર્તમાનપત્ર પ્રસિદ્ધ તો કર્યું, પણ આગલાં જૂઠાણું માટે ન દિલગીરી બતાવી કે તે ખેંચી લીધાં. ઊલટાં પેલાં મૂળ જૂઠાણું લંડન જેમનાં તેમ તારથી મોકલવામાં આવ્યાં ! અને આ બધું બારડોલીની તપાસસમિતિના સભ્યોની નિમણૂક થઈ તેના બેપાંચ દિવસ અગાઉ.
આમ તપાસને ખરાબ કરનારા આવા પ્રયત્નો શ્રી. વલ્લભભાઈ સાંખી શક્યા નહિ એટલે તેમણે સરકારના રેવન્યુ મેમ્બરને એક કાગળ લખીને પુછાવ્યું કે કમિટીમાં કયા અમલદારને નીમવા ઇચ્છે છે. તેમણે એ પણ જણાવ્યું કે સમાધાનીની આખી મસલત દરમ્યાન તેમની અને બીજા મિત્રોની સમજ એવી હતી કે ન્યાયખાતાને અમલદાર મિ.ડેવીસ નીમવામાં આવશે, અને, એની સામે શ્રી વલ્લભભાઈને વાંધો નહોતો. સરકારે આ વાતને તદ્દન ઇનકાર કર્યો, મિ. બ્રમશીલ્ડ અને મિ. મેકસવેલની નિમણૂક જાહેર કરી, પણ શ્રી. વલ્લભભાઈને તાર કર્યો કે પૂના આવી જાઓ તે મિ. ડેવીસને નીમવામાં અડચણો છે તે સમજાવવામાં આવે. શ્રી. વલ્લભભાઈ ગયા–સરકારની પાસે ખુલાસો મેળવવાની આશાથી નહિ પણ પિતાને એક પ્રકારને વસવસો રહેતે હતો તે દૂર કરવા. જ્યારે સમાધાનીની શરતે નકકી થઈ ત્યારે સરી ચુનીલાલ મહેતા અને વલ્લભભાઈની વચ્ચે કેટલીક બાબતો વિષે ચોખ્ખી સમજ હતી–એમાંની એક મિ. ડેવીસની નિમણુક હતી, અને બીજી સત્યાગ્રહ દરમ્યાન ચોથાઈ વગેરે જે દડે ખેડૂતોની
૨૬૪